લોકસભામાં આજે ગૃહમંત્રાલય તરફથી UAPA એક્ટ પર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન ગૃહમંત્રી જયારે પોતાનો મત રજૂ કરવા ઉભા થયા હતા. ત્યારે વિપક્ષો વાત સાંભળ્યા વગર
ભાજપ સરકારનું આતંકવાદીઓનો ખાત્મો કરવા ઈચ્છી રહી છે અને તેને લઈને સદનમાં પહેલા NIAની તાકાત વધારવાનું બિલ પસાર કર્યું છે.
વિપક્ષીદળોનો વોકઆઉટ
જયારે વિપક્ષો આ બિલનો વિરોધ કરી રહ્યા છે અને આક્ષેપ કરી રહ્યા છે કે આ બિલ પાસ કરીને ભાજપ સરકાર દુરુપયોગ કરશે. જો કે લાંબી ચર્ચા બાદ NIA સંશોધન બિલ પાસ કરાયું હતું. પરંતુ હવે આ નવું બિલ UAPA સદનમાં રજૂ કરતા જ હોબાળો કરાયો હતો. કેટલાક વિપક્ષી દળોના નેતાઓને સદનમાંથી વોકઆઉટ કરવા પર દેશના ગૃહરાજ્યમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, જો તેનાથી વિપક્ષની વોટબેંક ખતમ થઇ રહી છે માટે તેઓ વોકઆઉટ કરી રહ્યું છે.
આ બિલ જો સદનમાં પાસ થાય તો તમામ તપાસ એજન્સીઓની તાકાત વધશે અને તેઓ કોઈપણ સ્થળે શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખીને તેને રોકી શકે છે અને વિપક્ષોને ડર છે કે આ પ્રકારની તાકાત આપીને જો સરકાર ખોટી રીતે હેરાન કરી શકે છે તેના કારણે તેઓ વિરોધ કરી રહ્યા હોવાની વાત કરી રહયા છે.
અનુચ્છેદન 14 તથા 21નું ઉલ્લંઘન
ઓવૈસીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આ બિલથી અનુચ્છેદન 14 તથા 21નું ઉલ્લંઘન થશે. કોઇપણ સરકારની ભાવના તથા સંદેહના આધાર પર આતંકવાદી ન કહી શકાય. આ બિલમાં ન્યાયીય સમસ્યાનો અભાવ છે અને હું જાણવા માગું છું સંસદીય સંપ્રભુતા ક્યાં જઇ રહી છે.
અર્બન નક્સલ પ્રત્યે કોઇ જ સહાનુભુતિ નહીં : અમિત શાહ
ગૃહમંત્રીએ NCP ના સાંસદ સુપ્રિયા સુલેના સવાલ પર જવાબ આપતા કહ્યું કે દેશમાં સામજીક કાર્યકર્તાઓની મોટી સંખ્યા સન્માનિત જીવન જીવી રહી છે પરંતુ જે લોકો વૈચારીક આંદોલનનો રાહ પકડીને અર્બન નક્સલીઝમને પ્રોત્સાહન આપી રહ્યા છે તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.