કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છની મુલાકાતે આવ્યાં છે. જ્યાં અમિત શાહે સરહદી ક્ષેત્ર વિકાસોત્સવ 2020 કાર્યક્રમમાં પ્રારંભ કરાવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજરોજ કચ્છ ખાતે સરહદી ક્ષેત્ર વિકાસોત્સવ 2020 કાર્યક્રમમાં હાજરી આપી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી પણ ઉપસ્થિત રહ્યાં છે.
અમિત શાહે કચ્છના સરહદી વિસ્તારમાં આવેલા ગામડાઓના સરપંચો સાથે સંવાદ કર્યો છે. આ સંવાદમા 3 જિલ્લાના 158 ગામના સરપંચો સામેલ થયાં છે. આ સંવાદમાં સરહદી વિસ્તારને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્યના કામ અંગે ચર્ચા કરવામાં આવી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંજે સાડા પાંચ વાગે ભુજના સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક કરશે. જેમાં સરકારના મંત્રીઓ, BSFના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
સરહદી ગામના સરપંચોએ વ્યક્ત કરી ખુશી
કચ્છમાં યોજાયેલા સરહદી વિકાસોત્સ કાર્યક્રમ 2020માં સરહદી ગામોના સરપંચો જોડાયાં છે. કાર્યક્રમમાં જોડાયેલા સરપંચોએ વિકાસ કામો થતાં સરકારને બિરદાવી છે. સરપંચોએ જણાવ્યું કે શિક્ષણ અને સરહદી વિસ્તારના ગામોનું આર્થિક સ્તર સુધર્યું છે.
સાંસદ પરબત પટેલની VTV સાથે વાતચીત
કચ્છમાં સરહદી વિકાસોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે VTV સાથેની વાતચીતમાં જણાવ્યું કે જિલ્લાના સરહદી વિસ્તારના ગામોનો વિકાસ અમારી પ્રાથમિકતા છે. સરહદી વિસ્તારના વિકાસથી ગામડાઓ સમૃદ્ધ બનશે. ગામોમાં પાણી, લાઇટની સુવિધા સાથે સજ્જ થશે.
પાટણ પ્રભારી મયંક નાયક સાથે VTVની વાતચીત
સરહદી વિકાસોત્સ કાર્યક્રમ 2020માં હાજર રહેલા પાટણના પ્રભારી મયંક નાયક સાથે VTVએ વાતચતી કરી હતી. જેમાં મયંક નાયકે જણાવ્યું કે પાટણના 35 ગામો સરહદી વિસ્તારમાં આવે છે. સરહદના 35 ગામોમાં પાણી પહોંચાડવાનું કામ પૂર્ણ થયું છે. સરહદી વિસ્તારના ગામો આત્મનિર્ભર બને તેવા પ્રયાસ કરવામાં આવ્યાં છે.