કોલ્હાપુર અને સાંગલીમાં પૂરને લઇને લોકોને આપ્યું આશ્વાસન
મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોલ્હાપુર જિલ્લામાં એક રેલીને સંબોધિત કરતા શાહે કહ્યું કે, લોકોને કોંગ્રેસ અને એનસીપીના નેતાઓને પૂછવું જોઇએ કે શું તે જમ્મૂ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર અનુચ્છેદ 370ની મોટાભાગની જોગવાઇ હટાવવા સંબધી એનડીએ સરકારના નિર્ણયનું સમર્થન કરે છે. શાહે કહ્યું, 'ઘણી સરકારો આવી અને ગઇ, ઘણા વડાપ્રધાન આવ્યા અને ગયા, કોઇએ પણ અનુચ્છેદ 370 હટાવવાનું સાહસ દેખાડ્યું નહોતું. પરંતુ 56 ઇંચની છાતીવાલી વ્યક્તિએ તેને એકવારમાં ખતમ કરી દીધી.'
એમણે જમ્મૂ કાશ્મીરમાં અનુચ્છેદ 370 લાગૂ કરવા અંગે વિપક્ષી પાર્ટી કોંગ્રેસને જવાબદાર ઠેરવી. શાહે કહ્યું, 'સત્તામાં આવ્યા બાદ (બીજા કાર્યકાળ માટે) મોદીએ કંઇક એવું કર્યું કે જેનો દેશ 70 વર્ષથી રાહ જોઇ રહ્યો હતો...એમણે 5 ઓગસ્ટે અનુચ્છેદ 370 દૂર કરી દીધી અને જમ્મૂ કાશ્મીર દેશની મુખ્યધારામાં શામેલ થઇ ગયું.
એમણે મોદીના નેતૃત્વવાળી સરકાર દ્વારા લેવામાં આવેલા ઘણા અન્ય સાહસિક નિર્ણયોને પણ ગણાવ્યા. કોલ્હાપુર અને સાંગલીમાં ઓગસ્ટમાં આવેલા પૂરને લઇને એમણે લોકોને આશ્વાસન આપ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને જિલ્લાઓને બદલી દેવાશે અને તેમને વધુ સુંદર બનાવશે.