કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જ્યાં અમિત શાહની ગળાની ગાંઠની સર્જરી કરવામાં આવી અને ત્યારબાદ ડોકટરો દ્વારા રજા આપવામાં આવી.
આમ મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદની કે.ડી. હોસ્પિટલ ખાતે ગળાના ભાગે થયેલી ગાંઠની સર્જરી કરવામાં આવી છે. જો કે ઓપરેશન પૂર્ણ થયા બાદ અમિત શાહને રજા આપવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. તેમના પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા અમિત શાહ 4 અને 5 તારીખે અમદાવાદ રહેશે. ભાજપના નેતા તરીકે આવવાના ન હોવાથી તેમની મુલાકાત અંગે કમલમમાં ખાસ કોઇ સૂચના આપવામાં આવી ન હોવાનું જાણકાર સુત્રોનું કહેવું છે.
જોકે તેમની 29મી ઓગસ્ટમી મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે બંધબારણે બેઠક યોજીને વિધાનસભાની સાત બેઠકોની પેટા ચૂંટણી માટેના સંભવિત ઉમેદવારો મુદ્દે ચર્ચા કરી હોવાનું બહાર આવ્યું હતું.
આ ચર્ચાને આગળ ધપાવવા ઉપરાંત ભાજપમા સંગઠનને વધું સંગીન બનાવવા માટે ચાલી રહેલા અભિયાનને વેગ આપવા માટે પણ તેઓ ચર્ચા કરે તેવી સંભાવના હોવાનું માનવામાં આવી રહ્યું છે.