ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે ત્યારે રામ જન્મ જયંતિ નિમિત્તે નિવેદન આપતા કહ્યું કે આદર્શ દીકરો કેવો હોય અને આદર્શ પતિ કેવો હોય તે સંદેશ પાઠવે છે રામ. સાથે આદર્શ રાજા કેવો હોય તે સુશાસન વાત કરી હતી.અમદાવાદ ખાતે આદર્શ સહકારી ગ્રામ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો અને વધુમાં કહ્યું હતું કે ડેરી ક્ષેત્રની વાત કરતા કહ્યું કે દેશમાં કો-ઓપરેટિવ ક્ષેત્ર મજબૂત અને ડેરી ક્ષેત્રમાં કોઈ પરેશાની નથી.ગામની સહકારી દૂધ સમિતિ કામ કરી રહી છે.ઉત્પાદન વધશે તો દુનિમાં વેચાણ થશે.દુનિયા બજારમાં વેચીશું તો દૂધને તો સ્પર્ધા થશે.દૂધ ઉત્પાદન પ્રોસેસિંગ કોસ્ટ નીચે લાવવાની જરૂર છે.
ગુજકોમાસોલ ભવનનું લોકાર્પણ
અમિત શાહે ગાંધીનગરમાં GUJCOMASOLની નવનિર્મિત મુખ્ય કચેરી ત્રિભુવનદાસ પટેલ સહકાર ભવનનુ ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્વઘાટન કરાયુ હતું.આ વખતે સંબોધન દરમિયાન અમિત શાહે અમુલના સ્થાપનાકાર ત્રિભોવન પટેલને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે સહયોગ થી સ્વરોજગાર અને સ્વરોજગારથી આત્મનિર્ભરતા' ના મંત્ર સાથે પાયાના સ્તરે ખેડૂતોના કલ્યાણ માટે તમામ પ્રયાસો કરી રહી છે.
ગાંધીનગરમાં GUJCOMASOL ના નવનિર્મિત મુખ્ય કચેરી શ્રી ત્રિભુવનદાસ પટેલ સહકાર ભવનનુ ઉદ્ઘાટન કર્યું.@narendramodi જીના નેતૃત્વમાં GUJCOMASOL 'સહયોગ થી સ્વરોજગાર અને સ્વરોજગારથી આત્મનિર્ભરતા' ના મંત્ર સાથે પાયાના સ્તરે ખેડૂતોના કલ્યાણ માટે તમામ પ્રયાસો કરી રહી છે. pic.twitter.com/h0gUe913Ad
નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટનું લોકાર્પણ
બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ સ્થિત ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ખાતે 125 કરોડ ના ખર્ચે તૈયાર થયેલ નવ નિર્મિત ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આસપાસના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 125 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓ અને વિશેષ આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે. પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના વિકાસ માટે ‘ટી-જંક્શન’, ઝીરો પોઇન્ટ તથા ટી-જંક્શનથી લઇને ઝીરો પોઇન્ટ સુધીના રસ્તા પર વિવિધ વિકાસકાર્યો કરવામાં આવ્યા છે. સીમાદર્શન ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર વર્ક સાથે 3 આગમન પ્લાઝા-વિશ્રામ સ્થળ, પાર્કિંગ, 500 લોકો માટેની બેઠક ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, ચેન્જિંગ રૂમ, સોવેનિયર શોપ, 22 દુકાનો અને રેસ્ટોરન્ટ્સ, ‘સરહદગાથા’ પ્રદર્શન કેન્દ્ર અને મ્યૂઝિયમ, ડેકોરેટિવ લાઇટિંગ, સોલાર ટ્રી તેમજ સોલાર રૂફટોપની સુવિધાઓ વિકસિત કરાઈ છે.
पीएम @narendramodi जी के नेतृत्व में केंद्र सरकार सीमावर्ती क्षेत्रों से पलायन रोककर वहां के विकास के उद्देश्य से बॉर्डर टूरिज्म को बढ़ावा देने की दिशा में निंरतर कार्यरत है।
इसी कड़ी में आज गुजरात में भारत-पाक बॉर्डर पर नडाबेट सीमा दर्शन परियोजना को राष्ट्र को समर्पित किया। pic.twitter.com/j6QdKq7thu
આ ઉપરાંત, રિટેનિંગ વોલ, બીએસએફ બેરેક તથા પીવાના પાણી અને ટોયલેટ બ્લોકની સુવિધાઓ, 5000 લોકોની ક્ષમતાવાળું પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, પાર્કિંગ સુવિધા, સાઉન્ડ સિસ્ટમ, બાળકોને રમવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, બીએસએફના જવાનો માટે રોકાણની સુવિધા અને સરહદ સુરક્ષાની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેટનું નિર્માણ કરાયું છે.