નવી દિલ્હી: દિલ્હીની ભાજપના યુનિટે આવતા વર્ષે થનારી લોકસભા ચૂંટણી પહેલા સેંકડો વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે અને દરેકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સભ્ય બનાવવામાં આવ્યા છે. કારણ કે એમને 'સીધી સૂચના' મળી શકે.
દિલ્હીના ભાજપ યૂનિટે 2019ની લોકસભા ચૂંટણી પહેલા મંડળ સ્તર પર ટીમોનું નવી રીતે ગઠન કરી રહી છે અને પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને વોટ્સએપ સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાવી રહી છે.
વોટ્સએપના તમામ ગ્રુપમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને દિલ્હીના ભાજપ પ્રમુખ મનોજ તિવારીના સંપર્ક નંબર હશે. ગત મહિને એખ બેઠકમાં શાહે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓને ખોટો સમાચાર પોસ્ટ કરવા અને ખોટો સંદેશ ફેલાવતા બચવાની સલાહ આપી હતી. એમનું કહેવું હતું કે એનાથી પાર્ટીની વિશ્વસનીયતાને નુકસાન પહોંચે છે.
એમને જણાવ્યું કે પાર્ટીએ આવનારા મહિનામાં જિલ્લાઅને મંડળ સ્તર પર સોશિયલ મીડિયાને લઇને બેઠકો કરવાની યોજના બનાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશ અને ભાજપ નેતૃત્વ વાળી સરકારની ઉપલબ્ધિઓને સોશિયલ મીડિયા પર ફેલાવવા માટે બેઠકો કરવામાં આવશે.