લોકસભાની ચૂંટણીમાં ભાજપને પશ્ચિમ બંગાળમાંથી જીત મળી છે. પાર્ટીએ અહીં કુલ 42માંથી 18 બેઠકો પર જીત મેળવી છે. આ રાજ્યો જ્યાં ભાજપે ગેરકાયદે ઘુસણખોરનો મુદ્દો ભારે ચગ્યો હતો. ભાજપ અધ્યક્ષ અમિત શાહે મમતા બેનરજી પર ઘુષણખોરોને સાચવવાનો આરોપ લગાવતા ફરી મોદી સરકાર સત્તામાં આવી છે. હવે ઘુસણખોરોને બંગાળમાંથી બહાર કરવાની વાતોએ ફરી વેગ મળ્યો છે.
અમિત શાહને મોદી સરકારમાં ગૃહ મંત્રાલયની જવાબદારી મળી છે. તો શું હવે બંગાળમાંથી ગેરકાયદે રહેતા ઘુસણખોરોની હકાલપટ્ટી નિશ્ચિત બનશે? ઘુસણખોરોને બહાર કરવા માટે ભાજપ બંગાળમાં રાષ્ટ્રીય નાગરિકતા નોંધણી લાગૂ કરવાની વાત કરતી હતી. જ્યારે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી ખુલ્લેઆમ તેનો વિરોધ કરી રહ્યા હતા. એનઆરસી મામલે મમતા બેનરજી અને ભાજપ નેતૃત્વ વચ્ચે આ મામલે સામ-સામે આવી ગયા હતા.
નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે મળીને એનઆરસી દ્વારા ગેરકાયદે ઘુષણખોરોને ભારતની બહાર કાઢવાનો હુંકાર કર્યો હતો. બંગાળના સિલીગુડીમાં સભાને સંબોધિત કરતા પીએમ મોદીએ પાડોશી દેશોના શરણાર્થિઓને ન્યાય અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કરતા કર્યો હતો. તેમણે કહ્યું હતુ કે, ઉત્તરબંગાળમાં ગોરખા સમુદાયને રાષ્ટ્રિય નાગરિક રજિસ્ટરથી કોઈ જ નુકશાન નહીં પહોંચે, પરંતુ ઘુષણખોરોને કોઈ પણ કિંમતે છોડવામાં નહીં આવે.
નરેન્દ્ર મોદી પહેલા શાહે પણ અલીદ્વારપુરની એક સભામાં આ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતુ કે, ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવશે તો મોદી સરકાર બંગાળમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર ફરી અમલી બનાવશે, તમામ ઘુસણખોરોને રાજ્યની બહાર કરશે.
મમતા બેનરજીને પણ ઘેરતા શાહે કહ્યું હતું કે, મમતા બેનરજી ધારે છે કે, તેમને ઘુસણખોરોના કારણે ચૂંટણીમાં મદદ મળશે. પરંતુ મોદી સરકાર સત્તામાં આવશે તો એનઆરસી લાવશે, દરેક ઘુસણખોરોની ઓળખ કરવામાં આવશે અને તેને બહાર કરવામાં આવશે.