પીએમ મોદીએ પોતાના નવા મંત્રીમંડળ સાથે શપથ લીધા છે. ત્યારે મહારાષ્ટ્રમાં શિવસેનાના મુખપત્ર સામનામાં અમિત શાહના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા છે. શિવસેનાના મુખપત્ર સામનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો અમિત શાહ ગૃહમંત્રી બન્યા તો રામ મંદિર બનશે.
તો આર્ટિકલ 370 પર પણ અહીં ટિપ્પણી કરવામાં આવી છે અને ઉલ્લેખ કર્યો છે કે, અમિત શાહ ગૃહમંત્રી બનશે તો કલમ 370 પણ હટી જશે. પણ જો અમિત શાહને નાણાં મંત્રી બનાવવામાં આવે તો વિકાસમાં તેજી આવશે. જ્યારે પાકિસ્તાન પર પ્રહાર કરતા કહેવામાં આવ્યું છે કે શાહ પાસે પાકિસ્તાનના સવાલોનો પણ હલ છે. અમિત શાહના કારણે અનેક સમસ્યાઓ દૂર થશે.