દેશમાં લોકડાઉન 4.0 ની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જેને લઇને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગઇકાલે લોકડાઉન 4.0 માટે દિશા-નિર્દેશને લઇને જાહેરાત પહેલા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કોરોના વાયરસ મહામારીનો કહેર જોતા દેશ ચોથા લોકડાઉન તરફ જઇ રહ્યો છે. દેશભરમાં 4.0 લોકડાઉન લાગુ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલાથી જ લોકડાઉન 4.0 સંકેત આપી ચૂક્યા છે.
લોકડાઉન 4 મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રાલયમાં બેઠક
ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં હાઇલેવલ બેઠક
લોકડાઉન 4ની ગાઇડલાઇનને લઇ બેઠક
અધિકારીઓના જણાવ્યાં અનુસાર શુક્રવારે અંદાજે 5 કલાક જેટલી નોર્થ બ્લોક સ્થિત પોતાના કાર્યલાયમાં ગૃહ સચિવ અજય ભલ્લા સહિત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઘણી બેઠક યોજી. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓ લોકડાઉન 4.0 દિશા-નિર્દેશોને અંતિમ સ્વરૂપ આપવામાં લાગ્યાં છે.
આ દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને પત્ર લખી એટલું સુનિશ્ચિત કરવા નિર્દેશ કર્યો છે કે રોડ પર અથવા રેલવે ટ્રેક પર પરપ્રાંતિય શ્રમિકોના આવન-જાવનને રોકવામાં આવે. અજય ભલ્લાએ રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે પ્રવાસી શ્રમિકોને વિશેષ બસ અથવા શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના માધ્યમથી રવાના કરવામાં આવે.
જો કોઇ પ્રવાસી શ્રમિક રોડ પર ચાલતા જોવા મળે તો તેને નજીકના આશ્રય ગૃહમાં લઇ જવામાં આવે અને તેના ભોજનની વ્યવસ્થા જે-તે રાજ્ય સરકારે કરવાની રહેશે. રાજ્ય સરકારોની જવાબદારી હશે કે ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકોની આવન-જાવનની સુવિધા આપે જે પોતાના વતન જવા ઇચ્છે છે. કેન્દ્ર સરકારે પરપ્રાંતિય શ્રમિકોને લઇને સ્પેશિયલ શ્રમિક ટ્રેન ચલાવામાં આવી રહી છે.