આગામી 19 મેના રોજ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન યોજાવાનું છે. તે પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારના રોજ પોતાની પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં આજરોજ કોલકત્તામાં એક રોડ શો યોજ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ રોડ શો સાંજે 4.30 કલાકે મધ્ય કોલકત્તામાં યોજવાનો હતો અને તે સ્વામી વિવેકાનંદ ભવન પહોંચીને પૂર્ણ થવાનો હતો. તે પહેલા મોટી ધમાલ મચી જવા પામી હતી. આ મામલે અમિત શાહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, TMC ના ગુંડાઓએ રોડ શોમાં હુમલો કર્યો હતો.
Amit Shah: Today the way BJP's road show got a response in Kolkata with almost every citizen attending it, TMC's goons were frustrated & so attacked it. I would like to congratulate BJP workers as even after such chaos the roadshow continued & concluded at the planned place& time pic.twitter.com/Wy532Ox2ms
આગામી 19 મેના રોજ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન યોજાવાનું છે. તે પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારના રોજ પોતાની પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં આજરોજ કોલકત્તામાં એક રોડ શો યોજ્યો હતો.
कोलकाता के रोडशो में उमड़े जनसैलाब से हताश होकर ममता बनर्जी के गुंडों ने रोडशो पर हमला किया।
मुझे बंगाल की जनता पर विश्वास है कि वो इस हिंसा का जवाब अपने मत से TMC को उखाड़ कर देगी।
मैं आशा करता हूँ कि चुनाव आयोग TMC के गुंडों को गिरफ़्तार कर बंगाल में शांति बहाल करेगा। pic.twitter.com/WxlASaVFj8
અમિત શાહે કહ્યું કે, બંગાળની જનતા ભાજપને તાકાત આપી રહી છે. અહીં આ વખતે પરિવર્તન થશે. દીદી ભલે જીતની વાત કરી રહ્યા હોય, જનમત તેમની વિરૂધ્ધ છે. 16 રાજ્યોમાં અમારી સરકાર છે પરંતુ અમે ક્યારેય વિપક્ષ સાથે આ પ્રકારનો વ્યવહાર કર્યો નથી.
Amit Shah, BJP President: I condemn the violence that Mamata Banerjee's party is doing. I would like to appeal to the people of Bengal to give a response to this violence with their votes in the last phase. It's necessary to oust TMC once to put an end to violence in the state. https://t.co/MDpV622y4P
અહીં અમે 23 બેઠકોથી વધારે જીતીશું. બંગાળ અને દેશની જનતા મોદીજીને વડાપ્રધાન સ્વરૂપે જોવા ઇચ્છે છે. અમારા કાર્યકર્તાઓ પર હુમલો થયો ત્યારે પોલીસ મુકદર્શક બનીને જોઇ રહી હતી. મમતા દીદી હિંસા કરાવવાનો પ્રયાસ કરે છે.
મમતા દીદીની પાર્ટી દ્વારા કરવામાં આવતી ગુંડાગર્દીનો હું વિરોધ કરું છું. આ સાથે બંગાળની જનતાને અપીલ કરું છું કે, અંતિમ ચરણમાં હિંસાનો જવાબ શાંતિથી આપે અને મત આપીને કાયમ માટે આ હિંસાઓ થતી અટકાવે.
ઉલ્લેખનીય છે કે, શાહ કોલકત્તાના ભાજપના ઉમેદવાર રાહુલ સિન્હા અને દક્ષિણી કોલકત્તામાં પાર્ટીના ઉમેદવાર ચંદ્રકુમાર બોસ સાથે એક ટ્રકમાં ઉભા રહીને રસ્તાની બંન્ને તરફ હાજર રહેલી ભીડનું અભિવાદન જીલી રહ્યા હતા.
વિવિધ વિસ્તારોની સંસ્કૃતિઓની ઝાંખી
તેમની આગળના ભાગમાં રાજ્ય અને દેશના વિવિધ વિસ્તારોની સંસ્કૃતિઓની ઝાંખી કરવાતા પ્રદર્શનો ચાલતા હતા. આ સાથે જ ભાજપના સમર્થકો જય શ્રી રામ તથા નરેન્દ્ર મોદી જિંદાબાદ અને અમિત શાહ જિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. આ રોડ શોમાં રામ અને હનુમાનની જેમ તૈયાર થઇને આવેલ લોકો પણ જોવા મળ્યા હતા.
અમિત શાહના રોડમાં આ સમયે અચાનક બબાલ થઇ હતી. જે ટ્રકમાં શાહ સવાર હતા તેના પર ડંડા ફેંકવામાં આવ્યા હતા. જો કે, આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ તાત્કાલિક અસરથી હરકતમાં આવી હતી અને લાઠીચાર્જ કરવા લાગી હતી. તો આ તરફ કેટલાક લોકોએ આગચંપી પણ કરી હતી. જેને પગલે વાતાવરણ વધારે તંગ બન્યું હતું અને ભાગદોડ મચી જવા પામી હતી.