અમિત શાહે વધારાની સુરક્ષા અને બંગાળમાં ફેલાયેલી હિંસાને લઈને બેઠક બોલાવી હતી. તેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર હતા. બીજી તરફ બંગાળના રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીએ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ તમામ મુલાકાતો રાજ્યમાં ચાલતી હિંસાત્મક ઘટનાને રોકવા માટે કરાઈ હતી. અટકળો ચાલી રહી છે કે હવે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવે.
આપને જણાવી દઇએ કે, સુરક્ષા પર બેઠકને લઈને ભાજપના જનરલ સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીયએ બંગાળમાં ચાલતી બબાલ પર દુખ વ્યકત કર્યું હતું અને કહ્યું કે, બંગાળમાં જે રીતે હિંસા ફેલાઈ રહી છે, ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં ભાજપે 12 કલાકના બંધની જાહેરાત પણ કરી હતી.
સમગ્ર બંગાળમાં આ દિવસને બ્લેક ડે તરીકે મનાવવામાં આવી રહ્યો છે. બંગાળમાં હિંસાની જવાબદારી મમતા બેનર્જીની છે. તે બદલાની ભાવનાથી લોકોને ભડકાવી રહ્યાં છે. મમતા તેમના કાર્યકર્તાઓને કહી રહ્યાં છે કે જયાં તેમની પાર્ટી હારી રહી છે, ત્યાં ભાજપના કાર્યકર્તાઓને નિશાન બનાવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, તમામ ગુંડા સતાધારી તૃણમૂલની પાસે જ છે, તેમની પાસે પિસ્તોલ અને બોમ્બ છે. અમારા કાર્યકર્તાઓની પાસે કોઈ હથિયાર નથી. બંગાળમાં આવી જ હિંસા થતી રહી તો કેન્દ્રએ હસ્તક્ષેપ કરવો પડશે.
બંગાળની હિંસા મુદ્દે કરી ચર્ચા
Delhi: Home Minister Amit Shah holds a meeting on internal security at Ministry of Home Affairs. NSA Ajit Doval also present. pic.twitter.com/4dzLUcZQTQ
બંગાળમાં ચાલી રહેલી હિંસા પર ગૃહ મંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી હતી. તેમાં મમતા સરકારને નાગરિકોમાં વિશ્વાસ બનાવી રાખવામાં નિષ્ફળ ગણાવી. બંગાળના ચીફ સેક્રેટરી મલય કુમારે જવાબ આપતા દાવો કર્યો કે રાજયમાં હાલત નિયંત્રણમાં છે.
પત્રમાં લખ્યું ચૂંટણી બાદ કેટલાક અસામાજિક તત્વો દ્વારા હિંસા કરવામાં આવી હતી. આ પ્રકારના મામલાને રોકવા માટે અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનો સમય લીધા વગર કાર્યવાહી કરવામાં આવી હતી.પરતુ હાલ બંગાળમા રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની અટકળો તેજ બની છે.