ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં સામેલ થશે. 15 જ દિવસમાં ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ટાર્ગેટ કિંલિંગ મામલે બીજી મોટી બેઠક મળશે. આ બેઠક બાદ ટાર્ગેટ કિંલિંગ મામલે ગૃહમંત્રી અમિત શાહ મોટો નિર્ણય લઈ શકે તેવી શક્યતા સેવાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ આજકાલ વધી રહી છે. હજુ તો ગઇકાલની બેન્ક મેનેજરની હત્યાની ઘટના તાજી જ છે ત્યાં ફરી બે શ્રમિકો પર હુમલો કરવામાં આવ્યો છે.
આ ઘટના બડગામ જિલ્લામાં બની છે. ગુરુવારે એક આતંકી હુમલામાં ચદુરા વિસ્તારમાં આતંકીઓએ ઇંટોના ભઠ્ઠા પર કામ કરતાં બે પ્રવાસી શ્રમિકોને નિશાન બનાવ્યા હતા. આતંકીઓએ બંને મજૂરોને ગોળી મારી હતી જેમાં એકનું મોત થઈ ગયું હતું અને બીજો શ્રમિક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
J&K | Even security personnel are not safe here, how civilians will save themselves. More families will leave the city (Srinagar). Camps of Kashmiri pandits were sealed off by police, said Ashu (02.06) pic.twitter.com/aMhjH2j6tH
કાશ્મીરમાં ખીણમાં હવે સ્થિતિ વધુ ને વધુ ખરાબ બનતી જાય છે. અહીં આતંકીઓની નાપાક હરકતો વધી રહી છે. ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે જ્યારે આતંકી ઘટનાનાં કોઈ સમાચાર નથી આવતા. આતંકીઓ જાણે સરેઆમ ઘૂમી રહ્યા હોય અને તેઓને કોઇની પરવા ન હોય તેવી સ્થિતિ છે.
કાશ્મીર ખીણમાં પેલી મે થી ટાર્ગેટ કિલિંગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં સાંબાં જિલ્લાની શિક્ષિકાને આતંકવાદીઓએ 31 મે ના રોજ મોતને ઘાટ ઉતારી દીધી હતી અને 18 મે ના દિવસે ઉત્તરી બરામુલામાં એક દારૂની દુકાનમાં દાખલ થઈને ગ્રેનેડ ફેંકવાના કારણે જમ્મુમાં રહેતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 3 ઘાયલ થયા હતા.
બિહારના શ્રમિકે ગુમાવ્યો જીવ
બચી ગયેલા શ્રમિકની શ્રીનગરની હોસ્પિટલમાં ચાલી રહી છે . જ્યારે અન્ય એક શ્રમિકે જીવ ગુમાવ્યો છે. આતંકી હુમલામાં જીવ ગુમાવનાર શ્રમિક બિહારનો રહેવાસી હોવાની માહિતી મળી છે. ગઇ કાલે કુલગામમાં બેંક મેનેજરની આતંકીઓએ હત્યા કરી હતી. અને એના 24 કલાકમાં જ આ બીજી ઘટના જોવા મળી છે.
J&K| Panic-stricken Kashmiri Pandits working under PM package reached Jammu due to targeted killings in Kashmir Valley
Today's Kashmir is more dangerous than the 1990s. Most imp question is why our people were locked in our colonies.Why admin is hiding their failure?: Ajay(2.06) pic.twitter.com/4FgGN65u1C
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં 48 કલાકની અંદર અન્ય એક હિન્દુ કર્મચારીની હત્યા બાદ કાશ્મીરી પંડિતોએ ખીણમાં તમામ સ્થળોએ વિરોધ પ્રદર્શનો બંધ કરી દીધા છે.
આ સાથે શુક્રવારે જમ્મુ તરફ સામૂહિક સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે તમામ સાથીઓને કાજીગુંડમાં નવયુગ ટનલ પાસે એકઠા થવા કહ્યું છે. અત્યાર સુધીમાં 1800 કાશ્મીરી પંડિતો સહિત ત્રણ હજારથી વધુ સરકારી કર્મચારીઓએ ઘાટી છોડી દીધી છે.
શ્રીનગરના ઈન્દિરા નગર વિસ્તારમાં ગુરુવારે સતત બીજા દિવસે કડક નિયંત્રણો યથાવત રહ્યા હતા. જ્યાં પણ કાશ્મીરી પંડિતો રહે છે, ત્યાં વિસ્તારોની બહાર પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત છે. કોઈને બહાર જવાની પરવાનગી નથી. મીડિયાને પણ તેમની પાસે જવાની પરવાનગી આપવામાં આવી રહી નથી. કાશ્મીર ખીણમાં લગભગ આવા તમામ સ્થળોએથી એક સમાન સમાચાર મળી રહ્યાં છે. સૂત્રોએ જણાવ્યું કે કાશ્મીરી પંડિતોના કેમ્પસને બહારથી કોર્ડન કરી દેવામાં આવ્યું છે.
Back to 1990, #KashmiriPandits out fixing the rates with truck drivers for shifting their base to Jammu after back to back target killings in #Kashmir. Another exodus on cards. #BJP missed to mention this while showcasing their 8 years of achievements yesterday!! pic.twitter.com/Ht7IpvO2lI
એક સ્થાનિકે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સુરક્ષાદળો પોતે સુરક્ષિત નથી તો અમે કેવી રીતે સુરક્ષિત રહી શકીએ.
જમ્મુ કાશ્મીરમાં સામાન્ય નાગરિકો પર આતંકવાદી હુમલા અટકવાનું નામ નથી લઇ રહ્યા. આજે બડગામમાં ઈટ ભઠ્ઠામાં કામ કરનારા પ્રવાસી મજૂરો પર હુમલો થયો, જેમાં 1 મજૂરનું મોત થઇ ગયું. જ્યારે એક મજૂર ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ઇજાગ્રસ્ત મજૂરની સારવાર શ્રીનગરના SMHS હોસ્પિટલમાં ચાલી રહી છે.
આતંકવાદીઓએ મજૂરો પર હુમલો બડગામના મગરેપોરા ચડૂરા વિસ્તારમાં કર્યો. હુમલામાં જીવ ગુમાવનારા મજૂરનું નામ દિલખુશ જણાવવામાં આવી રહ્યું છે. તે બિહારનો રહેવાસી હતો. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં બિન કાશ્મીરી નાગરિકોને વીણી વીણીને મારવામાં આવી રહ્યાં છે.
ખીણમાં તૈનાત શિક્ષકો જમ્મુ પહોંચી રહ્યાં છે
કાશ્મીર વિભાગના જુદા-જુદા જિલ્લામાં કામ કરી રહેલા જમ્મુ વિભાગના શિક્ષકો ખીણ છોડીને જમ્મુ તરફ જઈ રહ્યા છે. બુધવારે રજની બાલાના અંતિમ સંસ્કારમાં ઘણા શિક્ષકો પણ સામેલ થયા હતા. જમ્મુ વિભાગના હજારો શિક્ષકો કુલગામ, બાંદીપોરા, અનંતનાગ, બારામુલ્લા, શોપિયાં અને કાશ્મીર વિભાગના અન્ય જિલ્લાઓમાં કામ કરી રહ્યા છે. તેમાં કાશ્મીરી પંડિતો અને અનુસૂચિત જાતિના કર્મચારીઓ છે. કુલગામમાં જ કામ કરતા એક શિક્ષકે કહ્યું કે દરેકમાં ભયનું વાતાવરણ છે. તેણે કહ્યું કે 2011માં હું અનુસૂચિત જાતિના ક્વોટા હેઠળ પોસ્ટેડ હતો. કહ્યું કે, સરકારે અમને સુરક્ષિત સ્થાનો પર તૈનાત કરવા જોઈએ અથવા અમને જમ્મુ ડિવિઝનના જિલ્લાઓમાં ટ્રાન્સફર કરવા જોઈએ.