કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસની ગુજરાત મુલાકાતે છે ત્યારે રેલવે ઓવરબ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં વિકાસના કાર્યોનું કર્યું ખાતમુહૂર્ત
કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
કલોલના લોકોને કહ્યું- હું તમારી સાથે ખભેથી ખભો મીલાવું છું.
કલોલમાં 1698 લાખના ખર્ચે આકાર પામનાર રેલવે ઓવરબ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આવેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તમે કલોલ નગરપાલિકામાં કમળ ખીલાવ્યું છે, હવે કલોલને કમળ જેવું બનાવવાની જવાબદારી મારી છે.
પ્રધાનમંત્રી મોદીના વખાણ કરી કોંગ્રેસ પર તાક્યું તીર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતા અમિત શાહે જણાવ્યું કે, દેશમાં PM મોદીએ વેક્સિનેશનનું સુંદર કામ કર્યું છે. જો કે, વેક્સિન શોધી ત્યારે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું. રાહુલ ગાંધીએ કહ્યું હતું સાચવીને મુકજો આ મોદી વેક્સિન છે, તો કોંગ્રેસે ટ્વીટ કરી લોકોને વેક્સિન લેતા પણ ડરાવ્યા હતા.
ગાંધીનગરના કલોલ ખાતે 17 કરોડના ખર્ચે તૈયાર થનાર BVM ગેટ રેલવે ઓવર બ્રિજ અને સરદાર પટેલ ગાર્ડન નવીનીકરણ કાર્ય હેતુ શિલાન્યાસ કર્યો.
આ રેલ્વે ઓવર બ્રિજથી કલોલ નગરપાલિકાના રહીશોના સમય અને ઇંધણની બચત થશે તેમજ વાહનવ્યવહાર સુવિધામાં સાનુકૂળતા વધશે. pic.twitter.com/Vx0XDI6TlX
ગુજરાતના એક દિવસના પ્રવાસે આવેલ ગાંધીનગરના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિત શાહે કલોલની જનતાને કહ્યું હતું કે, 2022નું વર્ષ ભાજપ માટે સુકનનું વર્ષ છે. અમૃત યોજના અંતર્ગત આગામી દિવસોમાં કલોલમાં 1 કરોડના ખર્ચે બગીચો બનશે. તો સાથે એવું પણ કહ્યું કે, તમારા સાંસદ તરીકે હું તમારી સાથે ખભેથી ખભો મીલાવું છું.
કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કલોલ મતવિસ્તારમાં વિવિધ કામોના ઇ લોકાર્પણ કર્યા હતાં. બાદમાં કલોલના મોટી ભોંયણ ખાતે અમિત શાહ કેન્સર નિદાન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે આરોગ્યલક્ષી આંગણવાડી બહેનો અને મલ્ટી વર્કર હેલ્થ વર્કર ને તાલીમ આપવાના કાર્યક્રમનું લોકાર્પણ કર્યું હતું. તેમજ કેન્સરના નિદાન માટે સર્વે, સ્ક્રીનિગ અને સારવાર અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
આપણે એક નું એક કામ કરીએ તો કંટાળી જઈએ પણ મોદી સાહેબ નહી
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે કાર્યક્રમને સંબોધતાં કહ્યું કે, આજે બે કાર્યક્રમોનું આયોજન થયું છે. 22 કરોડ થી વધુ ના નાના મોટા કામો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. 34 ગામો માં નાના મુદા ના નિવારણ આજે થશે. આ સુવિધાઓ થી આગળ પણ ફાયદો થશે. 7 ઓક્ટો.2001 થી યાત્રા શરૂ થઈ છે. અવિરત ચાલુ છે. નરેન્દ્રભાઈ રોજે રોજ ભારતની જનતાના વિકાસની યોજનાઓનો જ વિચાર કરે છે. 5 રાજ્યોની ચૂંટણીમાં ખાસો સમય ગયો. લાંબા સમય બાદ મળવાનું થયું છે. 4 રાજ્યો માં કોંગ્રેસ ના સુપડા સાફ થઈ ગયા છે. આપણે નરેન્દ્રભાઈને સારી રીતે ઓળખીએ છીએ આપણે એક નું એક કામ કરીએ તો કંટાળી જઈએ છે. પણ મોદી સાહેબ રોજ નવી યોજના નવા કામો કરે છે.
PM મોદીએ દેશના અનેક જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરાવી છે
કેન્દ્ર સરકારે આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ આપ્યા છે. જેમાં 5 લાખ સુધીનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે. આજે દેશ માં મોટા મોટા ઓપરેશન આ કાર્ડ દ્વારા થયા છે. ગાંધીનગર જિલ્લામાં 34 કરોડ રૂ.આ કાર્ડ દ્વારા લોકો માટે ચુકવવામાં આવ્યા છે. કોરોનામાં 2 વર્ષ સુધી 5 કિલો વધારાનું અનાજ મફત આપવાનું કામ કર્યું છે. નરેન્દ્રભાઈએ દેશના અનેક જિલ્લામાં મેડિકલ કોલેજની હારમાળા સર્જી છે.
કેન્સર માટે સરકાર જાગૃત છે -શાહ
આજે કેન્સર માટે મહત્વના અભિયાન ની શરૂવાત કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર વહીવટી તંત્ર ઘરે ઘરે જશે અને પ્રાથમિક તપાસ કરશે. અને જો કોઈને લક્ષણ દેખાશે તો તેમની ત્વરિત સારવાર શરૂ કરાશે. જેથી જો વહીવટી તંત્ર ઘરે આવે તો તેમને સહયોગ આપજો. જો ટેસ્ટ પોઝિટિવ આવે તો આગળનો ઈલાજ કરાવજો તેમણે વહીવટી તંત્રે જાણ કરી દરેક ગામના વ્યક્તિનું આરોગ્ય તપાસ થાય એ જરૂરી સૂચનો આપ્યા હતાં.