આજે ભાજપના સ્થાપના દિન નિમિતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા સવારે સરખેજ ગામથી રોડ શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમિત શાહે વણઝર ગામથી ભાજપના સ્થાપના દિને પુષ્પાંજલિ કરીને કેસરિયો સાફો બંધાવીને રોડ શોનો પ્રારંભ કર્યો હતો. અમિત શાહનો આ રોડ શો વસ્ત્રાપુરના શહિદ ચોક નજીક હવેલી મંદિર સુધી યોજાયો હતો.
અમિત શાહના રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો કેસરી સાફામાં જોવા મળ્યાં હતા. અમિત શાહનો ખુલ્લી કારમાં રોડ શો યોજાયો હતો. રોડ શોનું વિવિધ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત શાહનો વણઝર ગામથી વસ્ત્રાપુર સુધી રોડ શો યોજાઇ ગયો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો પણ હાજર જોવા મળ્યાં.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરતા સમયે પણ રોડ શો યોજ્યો હતો. જેમાં અનેક કેન્દ્રીય દિગ્ગજ નેતાઓ સહિત એનડીઓના સાથીપક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અમિત શાહs 4 કિલોમીટર રોડશો કરીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, અરુણ જેટલી, નીતિન ગડકરી, ઉદ્ધવ ઠાકર, પિયુષ ગોયલ, રાજનાથ સિંહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.