આજે અમિત શાહનો ગુજરાતમાં પ્રચાર કરવાનો બીજો દિવસ છે. આજે અમિત શાહ કોડીનાર અને ડીસામાં સભા સંબોધશે. અમિત શાહ ગ્રામ્ય વિસ્તારમાં બે તબક્કામાં ચૂંટણી પ્રચાર કરશે. આ દરમિયાન તેઓ ભાજપને મત આપવા માટે અપીલ પણ કરશે.
લોકસભાની ચૂંટણીને લઈને અમિત શાહ ગુજરાતમાં પ્રચાર કરવામાં માટે આવ્યા છે. આજે અમિત શાહનો ગુજરાતમાં પ્રચાર કરવાનો બીજો દિવસ છે. આજે અમિત શાહ કોડીનાર અને ડીસામાં સભા સંબોધશે. અમિત શાહ ગ્રામ્ય વિસ્તારમાં બે તબક્કામાં ચૂંટણી પ્રચાર કરશે. આ દરમિયાન તેઓ ભાજપને મત આપવા માટે અપીલ પણ કરશે.
મહત્વનુ છે કે, અમિત શાહે રવિવારે અમદાવાદમાં સોસાયટીઓમાં સંવાદ કર્યો હતો. સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે સંવાદ કર્યો હતો. તેની સાથે-સાથે કલોલમાં રોડ-શો પણ કર્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
ગાંધીનગર લોકસભાની બેઠકને લઈને ભાજપના અધ્યક્ષ અમિત શાહ પ્રચાર કરી રહ્યા છે. અમિત શાહે ગઇકાલે સોસાયટીના સેક્રેટરી,ચેરમેન અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે રાણીપ, ચાંદલોડીયા, ગોતા, નારણપુરા સહિતના વોર્ડમાં બેઠક કરી હતા. આ બેઠકમાં તેમણે સોસાયટીના મતદારોને જાગૃત કરવા માટે આહ્વાન કર્યુ હતું.
સોસયટીમાં બેઠક કર્યા બાદ તેમણે નારણપુરામાં સ્વામિનારાયણ મંદિરના દર્શન કર્યા હતા. ત્યારબાદ અમિત શાહે ગાંધી આશ્રમ પાસે નવા વાડજમાં બેઠક કરી. અમિત શાહે ગઇકાલે સાંજે કલોલમાં રોડ-શો કર્યો હતો. આ રોડ-શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી પાટીદાર સમાજ ભાજપથી નારાજ ચાલી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા સમાજની નારાજગી ખાળવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે પાટીદાર આગેવાનો સાથે બેઠકોનો દોર કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સાથે બેઠક કરવામાં આવી હતી.