ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ક્લીન ચિટ આપી છે, જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને હત્યા આરોપી કહ્યા હતા. મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લાના સિહોરામાં એક રેલીમાં સંબોધન કરતા રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યાના આરોપી કહ્યા હતા.
રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યાના આરોપી નારાજ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ કરી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે કેસની સાબિતી એકત્ર કરી હતી અને તપાસ કરી હતી. ત્યારબાદ ગુરુવારે ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આ નિવેદનમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાનો ઇનકાર કર્યો. ચૂંટણી પંચે કહ્યું કે રાહુલ ગાંધી કોઈ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ નથી કર્યો. તેથી તેમને આ બાબતમાં ક્લીન ચિટ આપવામાં આવે છે.
જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને હત્યારા કહેવાની વિવાદિત ટિપ્પણી મામલે થયેલા માનહાનિના કેસમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે સમન્સ ઇસ્યૂ કર્યુ હતુ. મધ્યપ્રદેશમાં એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યા કેસના આરોપી કહ્યું હતું. આથી ખાડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ ફરિયાદની સુનાવણી મંગળવારે હાથ ધરાઈ ત્યારે કોર્ટે કેટલીક ક્વેરી કાઢી હતી અને ફરિયાદીના વકીલને કહ્યું હતું કે, આ ફરિયાદ અંગેનું જ્યુરિડિક્શન આ કોર્ટને છે કે નહીં. આથી ફરિયાદી વકીલે દલીલ કરી હતી કે, કેરળ હાઇકોર્ટનું 1998નું જજમેન્ટ છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે જે જગ્યાએ ભાષણ કરતો હોય અને એ બાબત સમાચાર માધ્યમોમાં પબ્લિશ થાય ત્યારે એ બેમાંથી કોઈ પણ જગ્યાએ ફરિયાદ દાખલ થઈ શકે છે અને આ પ્રસ્થાપિત થયેલો કાયદો છે.