દેશના જુદા જુદા રાજ્યોની જેલોમાં બંધ રહેલા જમ્મુ-કાશ્મીરના 120 થી વધુ કેદીઓને ઈદના દિવસે ઘરે ફોન કરવાની છૂટ આપવામાં આવી હતી. ગૃહ મંત્રી અમિત શાહના કહેવાથી આમ કરવામાં આવ્યુ હતુ. ગૃહમંત્રીએ હાલમાં જ વિવિધ જેલોમાં રહેલા કાશ્મીરીઓની યાદી તૈયાર કરવા સૂચનાઓ આપી હતી. આ માહિતી સરકારી અધિકારીએ આપી હતી.
આતંકવાદ સિવાયના ગુનાના આરોપીઓને અપાઈ છુટ
સરકારે કાશ્મીરના કેદીઓનું લિસ્ટ તૈયાર કર્યુ છે
122 કેદીઓને મળી પરિવાર સાથે વાત કરવાની છુટ
ઈદના પ્રસંગે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી એમ ત્રણ રાજ્યોની જેલના 122 કેદીઓને તેમના પરિવારના સભ્યો સાથે વાત કરવાની છૂટ મળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે 106 કેદીઓ યુપીની 6 જેલોમાં અને 15 અન્ય હરિયાણાની જેલોમાં બંધ છે. જોકે આ છૂટ આતંકને લગતા ગુનામાં કેદ થયેલા કેદીઓને આપવામાં આવશે નહીં.
અધિકારીએ કહ્યું કે આ પ્રયાસ કાશ્મીરી કેદીઓ અને તેમના પરિવારોના જીવનમાં થોડી ખુશીઓ લાવવાનો હતો. અન્ય કેદીઓથી વિપરીત, કાશ્મીરના કેદીઓમાં તાર્કિક કારણોસર ઘણા મુલાકાતીઓ આવતા નથી. એવું માનવામાં આવે છે કે સરકાર આતંક સંબંધિત કેસોમાં આરોપી ન હોય તેવા કેદીઓ પ્રત્યે સહાનુભૂતિભર્યા વર્તન અપનાવવા જઈ રહી છે.
દક્ષિણ કાશ્મીરના કુલગામમાં થયેલા એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરતાં એક અધિકારીએ કહ્યું કે, ‘જે લોકો આતંક સંબંધિત બાબતોમાં સંડોવાયેલા છે. તેમની સાથે શું થાય છે. ’ હકિકતમાં સોમવારે કુલગામમાં થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાંથી સશસ્ત્ર દળોએ એકની ઓળખ આદિલ અહમદ વાની ઉર્ફે અબુ ઈબ્રાહિમ અને બીજો શાહીન બશીર થોકર તરીકે કરી છે.