કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરહદે ભારતની છેલ્લી પોસ્ટ પર પહોંચ્યા
BSFના જવાનોને મળ્યાં
મકવાલના લોકોને મળીને કહ્યું સંસાધનો પર તમારો પૂરો હક
મકવાલ ભારત-પાક સરહદે દેશની છેલ્લી પોસ્ટ છે
મકવાલ સીમાની મુલાકાત દરમિયાન અમિત શાહ બીએસએફના જવાનોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. તેમની સાથે ઉપરાજ્યપાલ મનોજ સિંહા પણ હાજર રહ્યાં હતા.
#WATCH | J&K: Union Home Minister Amit Shah takes the contact number of a local resident of Makwal border in Jammu, shares his own and tells him that the man can contact him whenever he needs.
અમિત શાહે મકવાલના લોકોના હાલચાલ જાણ્યા હતા. અમિત શાહે તેમને કહ્યું કે દેશના સંસાધનો પર જેટલો હક રાજધાનીમાં રહેનાર લોકોને છે તેટલો જ હક સરહદી ગામમાં રહેનાર લોકોને છે. મોદીજીની આગેવાનીમાં અમે બોર્ડર સુધી દરેક સુવિધા તથા વિકાસ પહોંચાડવા કટિબદ્ધ છીએ.
ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. અમિત શાહની ત્રણ દિવસની યાત્રા પર જમ્મુ-કાશ્મીર ની મુલાકાતનો આજે બીજો દિવસ છે. અમિત શાહે આજે જમ્મુમાં અનેક યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. દરમિયાન અમિત શાહે કહ્યું કે, "કલમ 370 પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ હું પહેલી વાર જમ્મુ-કાશ્મીર આવ્યો છું. આજે હું તમને કહેવા આવ્યો છું કે જમ્મુ-કાશ્મીરના લોકોને અન્યાયનો સમય પૂરો થઈ ગયો છે. હવે કોઈ તમારી સાથે અન્યાય કરી શકશે નહીં. હવે જમ્મુ-કાશ્મીરનો વિકાસ થશે અને આ ક્ષેત્ર દેશની પ્રગતિમાં ફાળો આપશે.
હવે જમ્મુ કાશ્મીરના લોકોને કોઈ પણ અન્યાય નહીં કરી શકે
અમિત શાહે કહ્યું કે, કલમ 370 હટાવ્યા બાદ હું પહેલી વાર જમ્મુ-કાશ્મીર આવ્યો છું. આજે હું તમને કહેવા આવ્યો છું કે જમ્મુ-કાશ્મીરના લોકોને અન્યાયનો સમય પૂરો થઈ ગયો છે. હવે કોઈ તમારી સાથે અન્યાય કરી શકશે નહીં.
J&K: Union Home Minister Amit Shah visited forward areas in Makwal, Jammu today. He also interacted with jawans. Lt Governor Manoj Sinha also present with him. pic.twitter.com/iy10GpzCao
જમ્મુ-કાશ્મીરની શાંતિમાં વિક્ષેપ પાડનારાઓને ક્યારેય સફળ નહીં થવા દેવાય
શાહે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરની શાંતિમાં વિક્ષેપ પાડનારાઓને ક્યારેય સફળ થવા દેવામાં આવશે નહીં. તેમણે કહ્યું હતું કે, 5 ઓગસ્ટ, 2019ના રોજ વડા પ્રધાન મોદીએ ઐતિહાસિક નિર્ણય લીધો હતો અને કલમ 370 અને 35એ રદ કરી હતી. આનાથી જમ્મુ-કાશ્મીરમાં લાખો લોકોને અધિકાર મળ્યો. હવે ભારતીય બંધારણના તમામ અધિકારો અહીંના તમામ લોકોને ઉપલબ્ધ છે.
શાહે કહ્યું કે, અગાઉ શીખો, ખત્રીઓ, મહાજનોને જમ્મુમાં જમીન ખરીદવાનો અધિકાર નહોતો. ત્યાંથી અહીં આવેલા શરણાર્થીઓને અધિકાર ન હતા, વાલ્મીકી, ગુર્જર ભાઈઓને અધિકાર ન હતા. ભારતના બંધારણની તમામ સત્તાઓ હવે મારા આ ભાઈઓને આપવામાં આવનાર છે.
શાહે કહ્યું હતું કે, એક સમય હતો જ્યારે જમ્મુ-કાશ્મીરમાં માત્ર પાંચ પરંતુ ચાર મેડિકલ કોલેજો કહેવાની હતી. આજે હું તમને જણાવવા આવ્યો છું કે જમ્મુ-કાશ્મીરમાં હવે સાત નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી છે. અગાઉ 500 વિદ્યાર્થીઓ અહીંથી એમબીબીએસ કરી શકે છે, હવે લગભગ 2,000 વિદ્યાર્થીઓ અહીં એમબીબીએસ કરી શકશે.