યુપીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ હાલમાં ડોર ટૂ ડોર કેમ્પેઈન કરી રહ્યું છે, જે અંતર્ગત અમિત શાહ દેવબંદ પહોંચ્યા હતા. જ્યાં તેમને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતાં.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ પ્રચારમાં મસ્ત છે. ત્યારે હવે શનિવારના રોજ અમિત શાહ દેવબંદમાં પ્રચાર કરી રહ્યા હતા. જો કે, આ દરમિયાન અમિત શાહને જોવા માટે લોકોએ પડાપડી કરી હતી, જેના કારણે તેમણે અધવચ્ચેથી પ્રચાર અટકાવવો પડ્યો હતો. તેમણે પોતાનો કાર્યક્રમ શરૂ તો કરી દીધો પણ લોકોની ભીડ જોતા અને કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવાનું જાણીને તેમણે અધવચ્ચેથી પોતાના પ્રચાર અટકાવી દીધો હતો અને આગલ સહારનપુર માટે નિકળી ગયા હતાં.
#WATCH | Uttar Pradesh: Union Home Minister and BJP leader Amit Shah holds door-to-door campaign in Deoband, Saharanpur pic.twitter.com/K5e04c2V8B
આપને જણાવી દઈએ કે, હાલમાં ગૃહમંત્રી અમિત શાહ ડોર ટૂ ડોર કેમ્પેઈન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં યુપીના કેટલાય જિલ્લામાં ફરી ચુક્યા છે. આજે અહીં પણ આવી જ રીતે કેમ્પેઈન કરી રહ્યા હતાં. ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામા આવેલી ગાઈડલાઈન અનુસાર નેતાઓ મોટી સભાને સંબોધન કરી શકતા નથી. એટલા ભાજપે ડોર ટૂ ડોર કેમ્પેઈનની શરૂઆત કરી છે. તેથી આ લોકો ઘરે ઘરે જઈને વોટ આપવાની અપીલ કરી રહ્યા છે.
મુઝફ્ફરનગરમાં પણ કરી મુલાકાત
દેવબંદ આવ્યા તે પહેલા અમિત શાહે યુપીના મુઝફ્ફરનગરમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, 2017માં યોગી આદિત્યનાથજીની સરકાર બન્યા બાદ તમામ ગુંડાઓ યુપીની સરહદ બહાર જતાં રહ્યા છે. તેમણે કહ્યું કે, આ મુઝફ્ફરનગર છે જેણે 2014, 2017 અને 2019માં ભાજપને પ્રચંડ બહુમત સાથે જીતાડવાનો પાયો નાખ્યો છે. અહીંથી જે લહેર ઉઠે છે તે કાશીએ જઈને પહોંચે છે અને અમારા વિરોધીઓના સૂપડાં સાફ કરી નાખે છે.