દિલ્હીના જહાંગીપુરીમાં થયેલી હિંસા મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસને કડક પગલાં ભરવાનો આદેશ આપ્યો છે.
દિલ્હી હિંસા પર કેન્દ્ર સરકાર આકરા પાણી
ગૃહમંત્રી અમિત શાહનો દિલ્હી પોલીસને આકરો સંદેશ
એવા પગલાં ભરો કે ફરી કોઈ હિંસાનું નામ ન લે
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતીના અવસરે થયેલી હિંસા બાદ કેન્દ્ર સરકાર ઉકળી ઉઠી છે. સરકાર કોઈ પણ કાળે આવી હિંસા ચલાવી લેવા માગતી નથી. હિંસા આચરનારા ગુનેગારોની સામે કડડ પગલાં ભરવાનો આદેશ ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસને આપ્યો છે. અમિત શાહે દિલ્હી પોલીસના અધિકારીઓને કડક સૂચના આપી છે કે, દિલ્હીમાં ફરીથી આવા તોફાનો અને હિંસા ન થાય તે માટે તોફાનીઓ સામે આવી કડક કાર્યવાહી કરો.
દિલ્હી પોલીસ કમિશનરે અમિત શાહને આપી થયેલી કાર્યવાહીની માહિતી
દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાના આજે અમિત શાહને મળીને તેમને દિલ્હી હિંસા મામલે થયેલી અત્યાર સુધીની કાર્યવાહીની માહિતી આપી હતી. દિલ્હી પોલીસની કાર્યવાહી અપૂરતી જણાતા શાહે તેમને હજુ પણ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
Jahangirpuri violence: Union Home Minister Amit Shah directed Delhi police officials to take strict action against culprits and set an example so that such incidents are not repeated
દિલ્હી પોલીસ કમિશનરને અમિત શાહની કડક સૂચના
અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને એવું કહ્યું કે દિલ્હીમાં ફરી આવી ઘટના ન બને તે માટે જે પણ જરૂરી પગલાં ભરો. દિલ્હીમાં થયેલી હિંસા બાદ તરત જ અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર સાથે ફોન પર વાત કરી હતી અને તેમને યોગ્ય પગલાં ભરવાની સૂચના આપી હતી.
દિલ્હીના જહાંગીપુરીમાં હનુમાન જયંતિએ થઈ હતી હિંસા
ઉલ્લેખનીય છે કે દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિએ નીકળેલા સરઘસ પર પથ્થરમારો થયો હતો.આ ઘટનામાં ઘણા પોલીસકર્મીઓ અને લોકો ઘાયલ થયા હતા. કોમી હિંસા ભડકાવવાનું આ તોફાનીઓનું મોટુ કાવતરુ હતું. પોલીસે આ કેસમાં અત્યાર સુધી 23 આરોપીની ધરપકડ કરી છે.
જહાંગીરપુરીમાં બીજી વાર થયો પથ્થરમારો
શનિવારની અથડામણ મામલે પોલીસ એક મહિલાને પૂછપરછ માટે લેવા ગઈ હતી. સોમવારે દિલ્હીના જહાંગીરપુરીમાં આ વિસ્તારની લગભગ 50 મહિલાઓએ વિરોધ પ્રદર્શન અને પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે જે મહિલાની અટકાયત કરી છે તે આરોપી સોનુની પત્ની હોવાનું કહેવાય છે, જેણે શનિવારે થયેલી અથડામણ દરમિયાન કથિત રીતે ગોળીબાર કર્યો હતો. સોમવારે મહિલાને પોલીસ પૂછપરછ માટે લઈ ગયા બાદ પોલીસની ટીમ પર અલગ અલગ મકાનોની છત પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
અત્યાર સુધી 23 આરોપીની ધરપકડ
જહાંગીપુરી વિસ્તારમાં થયેલી હિંસા કેસમાં દિલ્હી પોલીસે અત્યાર સુધી 23 આરોપની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી પણ ઝડપાઈ ચૂક્યો છે.