આતંકવાદનાં અંત માટે મિશન કાશ્મીર પર પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે હાઇલેવલ બેઠક કરી છે.
ગૃહમંત્રી અમિત શાહની બેઠક પૂર્ણ થઈ
અમિત શાહની અધ્યક્ષતામાં 4 કલાક ચાલી બેઠક
ત્રણ દિવસ માટે મિશન કાશ્મીર પર અમિત શાહ
શ્રીનગરમાં અધિકારીઓ સાથે હાઇલેવલ બેઠક
ચાર કલાકની બેઠકમાં મહામંથન, અધિકારીઓ પર થયા ખારા
અમિત શાહનું મિશન કાશ્મીર
આજે જમ્મૂ કાશ્મીરમાં ગૃહમંત્રી અમિત શાહ ફૂલ એક્શન મોડમાં દેખાયા હતા, ધારા 370ની સમાપ્તિ બાદ પહેલીવાર અમિત શાહ કાશ્મીરનાં પ્રવાસે છે ત્યારે આજે અધિકારીઓ સાથે તેમણે ચાર કલાક સુધી હાઇલેવલ બેઠક કરી હતી જેમા આકરા સવાલ કરવામાં આવ્યા અને અધિકારીઓ પર અમિત શાહ ખારા થયા હોય તે પણ સૂત્રો તરફથી સામે આવ્યું છે.
અમિત શાહે અધિકારીઓને કર્યા આકરા સવાલ
અમિત શાહે અધિકારીઓને આતંકવાદ, કટ્ટરતા અને નાગરિકો પર થઈ રહેલ અત્યાચાર મામલે જવાબ માંગ્યા. નોંધનીય છે કે આજે જ અમિત શાહ શ્રીનગર પહોંચ્યા છે જ્યાં એરપોર્ટ પર કેન્દ્ર શાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે તેમનું સ્વાગત કર્યું હતું.
.@JmuKmrPolice के शहीद जवान परवेज अहमद दार के घर जाकर उन्हें श्रद्धांजलि दी। मुझे व पूरे देश को उनकी बहादुरी पर गर्व है। उनके परिजनों से भेंट की और उनकी पत्नी को सरकारी नौकरी दी।
मोदी जी ने जो नए J&K की कल्पना की है, उसको साकार करने के लिए J&K पुलिस पूरी तन्मयता से प्रयासरत है। pic.twitter.com/Krv6CNfdJu
શહીદ પરિવાર સાથે કરી મુલાકાત
કાશ્મીરમાં ઉતર્યા બાદ અમિત શાહ સીધા જ શહીદ ઈન્સ્પેકટરનાં ઘરે પીડિત પરિવાર સાથે શોક વ્યક્ત કરવા પહોંચ્યા. શહીદ પરવેઝ અહમદની આતંકવાદીઓએ હત્યા કરી નાંખી હતી, તેઓ મસ્જિદમાં નમાજ પઢવા જઈ રહ્યા હતા તે સમયે જ આતંકવાદીઓએ તેમને નિશાને લીધા હતા.
આખું શ્રીનગર કિલ્લામાં ફેરવાયું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે કેન્દ્ર જમ્મૂ કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. આખા કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસથી આતંકવાદ ચરમસીમાએ છે અને સામે પક્ષે સેનાનું મહા ઓપરેશન ચાલી રહ્યું છે. એવામાં દેશના ગૃહમંત્રી પોતે આ ઓપરેશનને અંતિમ અંજામ આપવા મેદાને આવ્યા છે. અમિત શાહની મુલાકાતને જોતાં આખું કાશ્મીર અભેદ્ય કિલ્લામાં ફેરવાઇ ગયું છે. નોંધનીય છે કે 2019માં કાશ્મીરમાંથી ધારા 370 ખતમ કર્યા બાદ કાશ્મીરમાં અમિત શાહનો આ પહેલો પ્રવાસ છે. શ્રીનગરમાં અમિત શાહ સુરક્ષાની સમીક્ષા બેઠક રશે અને તે વાદ કાશ્મીરનાં યૂથ ક્લબનાં યુવાઓ સાથે વાતચીત કરશે.
ત્રણ દિવસ માટે રસ્તા બંધ, સુરક્ષા એજન્સીઓ એકદમ અલર્ટ
અમિત શાહના પ્રવાસનાં કારણે શ્રીનગરમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે, કેટલીય જગ્યાઓ પર ટ્રાફિકને બંધ કરી દેવામાં આવ્યો છે અને ગાડીઓની સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે. શેર એ કાશ્મીર ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર જનાર તમામ રસ્તાઓને ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બહાર પણ ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. નોંધનીય છે કે આ સિવાય પણ કાશ્મીર ઘાટીમાં નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને CRPF ની 50 કંપનીઓને તૈનાત કરી દેવામાં આવી છે. જુદા જુદા શહેરોમાં ઠેર ઠેર સેના દ્વારા બંકર બનાવી દેવામાં આવ્યા છે.
કેદીઓને આગ્રા મોકલી દેવાયા
કાશ્મીરમાં નાગરિકોની હત્યા બાદ સેના પણ આરપારનાં મૂડમાં છે અને સપાટો બોલાવીને 700 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી ઘણા પર પબ્લિક સેફટી એક્ટનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જમ્મૂ કાશ્મીરમાંથી કેટલાક કેદીઓને આગ્રા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.