ઝારખંડમાં એકવાર ફરીથી સત્તામાં BJPની વાપસી માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કમર કસી છે. અને ચૂંટણી પ્રચારનો શંખનાદ કર્યો છે. ઝારખંડના લાતેહારમાં શાહે રામ મંદિરનો ઉલ્લેખ કરી કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે અયોધ્યા મામલામાં અડચણો પેદા કરી.
ઝારખંડના લાતેહારમાં અમિત શાહે રામ મંદિરનો ઉલ્લેખ કરી કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો
કોંગ્રેસ પાર્ટીએ પોતાના વોટ બેન્કની લાલચમાં રામ મંદિર મામલાને 70 વર્ષથી લટકાવ્યો હતો : અમિત શાહ
અયોધ્યા પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. કોર્ટના નિર્ણયથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનો રસ્તો સ્પષ્ટ બન્યો છે ત્યારે હવે ત્યાં આસમાનને આબંતુ ભવ્ય મંદિર બનશે.
અમિત શાહે જમ્મૂ-કાશ્મીરથી વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લેવા માટે કેન્દ્ર સરકારના નિર્ણયનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પોતાના વોટ બેન્કની લાલચમાં મામલાને 70 વર્ષથી લટકાવેલો હતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત માતાના મુકુટમણિ પર લાગેલા આર્ટિકલ 370ના કલંકને હટાવી કાશ્મીરના વિકાસનો રસ્તો ખોલી દીધો છે. ફરીથી બહુમતની સરકાર બન્યા બાદ પહેલા જ સત્રમાં કાશ્મીરથી અનુચ્છેદ 370 અને 35Aને હટાવવાનું કામ નરેન્દ્ર મોદીની સરકારે કર્યું.
આદિવાસીઓને લલચાવવાની કોશિશ
ગૃહ મંત્રીએ આ ઉપરાંત રેલી દરમિયાન આદિવાસી વોટરોને લલચાવવાની કોશિશ કરી. અમિત શાહે કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસીઓ માટે ચલાવવામાં આવી રહેલી યોજનાઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે BJP સરકારે 5 વર્ષમાં આદિવાસીનું ગૌરવ વધારવામાં કોઇ કસર બાકી રાખી નથી. તેમણે કહ્યું કે, બીજેપી સરકારે આદિવાસીઓના વિકાસ માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ હેઠળ 32 હજાર કરોડ રૂપિયા આપ્યા છે.
આદિવાસી ભાઇઓ-બહેનોના બાળકોની શિક્ષા માટે વડાપ્રધાને દેશભરમાં દરેક આદિવાસી બ્લોકની અંદર એકલવ્ય સ્કૂલ બનાવ્યા. પાંચ વર્ષની અંદર દેશમાં 438 એકલવ્ય સ્કૂલ બનાવવાનું કામ BJPએ કર્યું.
નક્સલવાદ ખતમ કરવાનો દાવો
અમિત શાહે કહ્યું કે, આદિવાસીઓના શિક્ષણ માટે પણ બીજેપીએ મહત્વપૂર્ણ પગલા ઉઠાવ્યા છે. ગૃહમંત્રીએ દાવો કર્યો કે, બીજેપીની રઘુબર દાસ સરકારે પાંચ વર્ષમાં પ્રદેશથી નક્સલવાદ ખતમ કરી દીધો. નક્સલવાદને સમાપ્ત કરવાની દિશામાં રઘુબર દાસ સરકારે ઘણા પગલા ઉઠાવ્યા.
રામ મંદિર મામલા પર કોંગ્રેસને કટાક્ષ
અયોધ્યા વિવાદ પર અમિત શાહે કહ્યું કે દરેક ઇચ્છે છે કે અયોધ્યામાં રામ મંદિર બને પરંતુ કોંગ્રેસ પાર્ટી કેસ ચાલવા દેતી નહોતી. આટલા વર્ષોથી તેના પર નિર્ણય નહોતો આવી રહ્યો. અમે ઇચ્છતા હતા કે બંધારણીય રૂપે આ વિવાદનો રસ્તો નીકળે. દેશની સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય લેતા સર્વાનુમતે નિર્ણય આપ્યો છે કે અયોધ્યામાં રામના જન્મ સ્થળે ભવ્ય મંદિર બને.
યૂપીએ સરકાર પર હુમલો
અમિત શાહે કેન્દ્રની પૂર્વ યૂપીએ સરકાર પર હુમલો બોલ્યો. તેમણે કહ્યું કે, સોનિયા-મનમોહન સરકારે 13માં નાણા આયોગમાં ઝારખંડના વિકાસ માટે 55 હજાર 253 કરોડ રૂપિયા આપ્યા હતા. ત્યારે મોદી સરકારે ઝારખંડના વિકાસ માટે 3 લાખ 8 હજાર 487 કરોડ રૂપિયા આપવાનું કામ કર્યું છે. BJP સરકારેવ ઝારખંડ રાજ્ય આદિવાસી સંવર્ધન સોસાયટી હેઠળ મહિલા કિસાન શક્તિ રૂપે લેમનગ્રાસ અને તુલસી ઉપજાકર મહિલાઓની આવકમાં વૃદ્ધિ કરવાનું કામ કર્યું.