ખેડૂત આંદોલનને લઈને ચાલી રહેલા દેખાવોને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું છે કે કોઈ પ્રોપેગેંડા દેશની એકતાને તોડી શકશે નહીં. કોઈ દુષ્પ્રચાર ભારતને આગળ વધતા રોકી શકશે નહીં.
કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા દેખાવોનો 71મો દિવસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી ટ્વિટ
કોઈ પ્રોપેગેંડા દેશની એકતાને તોડી શકશે નહીંઃ શાહ
ખેડૂત આંદોલનને લઈને ચાલી રહેલા દેખાવોને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 71મા દિવસે કહ્યું છે કે કોઈ પ્રોપેગેંડા દેશની એકતાને તોડી શકશે નહીં. કોઈ દુષ્પ્રચાર ભારતને આગળ વધતા રોકી શકશે નહીં.ગૃહમંત્રી શાહે આ વાત વિદેશ મંત્રાલયના અનુરાગ શ્રીવાસ્તવને લઈને લખી છે. તેઓએ હેશટેગનો પણ ઉલ્લેખ કર્યો છે. #IndiaAgainstPropaganda, #IndiaTogether.
No propaganda can deter India’s unity!
No propaganda can stop India to attain new heights!
Propaganda can not decide India’s fate only ‘Progress’ can.
ઉલ્લેખનીય છે કે દિલ્હીની આસપાસ ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને વિદેશી હસ્તીઓએ પણ ટિપ્પણી કરી છે. કૃષિ કાયદાને લીને પોપ સ્ટાર રિહાના, પર્યાવરણ તજજ્ઞ ગ્રેટા થનબર્ગ, પૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલીફા અને સાથે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ ટિપ્પણી કરી છે. આ માટે ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યું છે. પોપ સ્ટાર રિહાનાએ ટ્વિટ કરીને લખ્યું છે કે અમે આ મુદ્દે શા માટે વાત કરી રહ્યા નથી, તો પર્યાવરણ તજજ્ઞ ગ્રેટા થનબર્ગે કહ્યું કે અમે ભારતમાં ખેડૂતોના પ્રદર્શનમાં એકતા સાથે ઊભા છીએ.
કંઈ પણ જાણકારી વિના કંઈ પણ કહેવું ખોટું છે
ખેડૂત મુદ્દે વિદેશી હસ્તીઓના ટ્વિટને લઈને સરકારે નારાજગી દેખાડી છે. આ કેસમાં સરકારની તરફથી જવાબ સામે આવ્યો છે. વિદેશી હસ્તીઓ અને સંસ્થાઓ દ્વારા હાલની ટિપ્પણીઓ પર વિદેશ મંત્રાલયે કહ્યું કે આ સનસનીખેજ સોશ્યલ મીડિયા હેશટેગ અને કમેન્ટ્સને લઈને પ્રલોભન છે. આ પ્રકારની ટિપ્પણીઓ ન તો યોગ્ય છે અને ન જવાબદાર છે. ખાસ કરીને જાણીતી વ્યક્તિઓ દ્વારા સચ્ચાઈ જાણ્યા વિના ટિપ્પણી કરાય તે યોગ્ય નથી. જાણકારી વિના કંઈ પણ કહેવું ખોટું છે. ભારતની સંસદે પૂર્ણ ચર્ચા બાદ કૃષિ ક્ષેત્રની સાથે સંબંધિત સુધારાવાદી કાયદા લાગૂ કર્યા છે.
India’s sovereignty cannot be compromised. External forces can be spectators but not participants.
Indians know India and should decide for India. Let's remain united as a nation.#IndiaTogether#IndiaAgainstPropaganda
રિહાનાના ટ્વિટ બાદ અભિનેતા અક્ષય કુમાર,, સુનીલ શેટ્ટી, અજય દેવગણ અને કરણ જોહરે ઈન્ડિયાટુગેધર હેશટેહની સાથે સરકારનું સમર્થન કર્યું છે. સાથે જ વિદેશી હસ્તીઓ દ્વારા ખેડૂત આંદોલન પર પ્રતિક્રિયાને પ્રોપેગેન્ડા કહ્યો છે. અક્ષયકુમારે અનુરાગ શ્રીવાસ્તવની ટ્વિટને રીટ્વિટ કરીને કહ્યું છે કે સરકાર ખેડૂતોની સમસ્યાનું સમાધાન કરી રહી છે.