ગૃહમંત્રી અમિતશાહ 10 રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક યોજવાના છે. જેમા નક્સલવાદ મુદ્દે તેઓ સમીક્ષા કરશે. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનર્જી પણ હાજર રહેવાના છે.
નક્સલવાદ મુદ્દે અમિતશાહે બોલાવી બેઠક
નક્સલ પ્રભાવિત વિસ્તારોની કરશે સમીક્ષા
વિકાસના કાર્યો પણ સમીક્ષા કરવામાં આવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ રવિવારે એટેલેકે આવતી કાલે 10 મુખ્યમંત્રીઓ સાથે નક્સલ પ્રભાવિત વિસ્તારોને લઈને બેઠક યોજશે જેમા તેઓ તે વિસ્તારોને લઈને સમીક્ષા કરવાના છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હાલ બેઠકમાં છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ. ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ. તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને કેરળના મુખ્યમંત્રીઓને આમંત્રિક કરવામાં આવ્યા છે.
10 નક્સલ પ્રભાવીત વિસ્તારની સમીક્ષા
ગૃહમંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ગૃહમંત્રી 10 નક્સલ પ્રભાવીત પ્રદેશોની સમીક્ષા કરશે. સાથેજ તેઓ રોડ, બ્રીજ, સ્કૂલ અને સ્વાસ્થ્ય કેન્દ્રોને લઈને પણ સમીક્ષા કરશે. ગૃહમંત્રાલયના આકડા પ્રમાણે દેશમાં માઓવાદીઓની હિંસા ઘણી ઘટી ગઈ છે.
ઉદ્ધવ ઠાકરે ગૃહમંત્રી સાથે લેશે મુલાકાત
રવિવારે જે બેઠક યોજાશે તમા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ શામેલ થશે. જેથી લોકોની નજર એજ મુદ્દે ટકી છે. થોડાક સમય પહેલા ઉદ્ધવ ઠાકરે તેમના પ્રતિનિધિ મંડળ સાથે PM મોદીને મળવા માટે દિલ્હી ગયા હતા. જ્યા તેમની PM સાથે વન ટુ વન મીટિંગ થઈ હતી. ત્યારે આ વખતે પણ એજ ચર્ચા છે કે શું ઉદ્ધવ ઠાકરે એકલામાં અમીતશાહને મળશે કે કેમ
દેશના 90 જિલ્લાઓ માઓવાદી પ્રભાવિત
ઉલ્લેખનીય છે કે દેશના કુલ 90 જિલ્લાઓમે માઓવાદી પ્રભાવિત માનવામાં આવી રહ્યા છે. 2019માં કુલ 61 જિલ્લાઓમાં નકસલી હિંસા થઈ હોવાની માહિતી સામે આવી હતી જ્યારે 2020માં આ સંખ્ય ઘટીને 45 થઈ ગઈ હતી. ત્યારે હવે ગૃહમંત્રી દ્વારા નક્સલ પ્રભાવીત વિસ્તારોને લઈને સમીક્ષા કરવામાં આવશે.