અમિત શાહ આવતી કાલે વડોદરા આવશે. એક તરફ ટ્રમ્પ 24મીએ ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગતની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે વડોદરાના સૂરસાગરમાં મહાદેવની આરતીના લાભ સાથે સાથે મોદી સરકારના ચાણાક્ય ગણાતા અમિત શાહ અમદાવાદમાં ટ્રમ્પના સ્વાગની તૈયારીઓ પર બાજ નજર ફેરવશે.
આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ આવશે વડોદરા
શિવ મહોત્સવની મહાઆરતીમાં લેશે ભાગ
સુરસાગર તળાવની ફરતે લાઇટિંગથી શણગાર
ગૃહમંત્રી અમિત શાહે સ્વીકાર્યુ હતુ આમંત્રણ
મહાશિવરાત્રીના દિવસે ગૃહમંત્રી અમિત શાહને શિવજીની મહાઆરતીમાં જોડાવવા મંદિરના ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલું આમંત્રણ સ્વીકાર્યું હતું. જેના કારણે અમિત શાહના આગમનને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સુરસાગરમાં કાલે થશે શીવની મહાઆરતી
આ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 21મીએ વડોદરામાં સુરસાગર તળાવનું લોકાર્પણ માટે અપાયેલું નિમંત્રણ અપાયું હતું. આ તળાવ 35 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. શહેરની મધ્યમાં સુરસાગર તળાવ આવેલું છે. સુરસાગર તળાવની ફરતે લાઇટિંગથી શણગાર કરવામાં આવ્યો છે સાથે સાથે સઘન સુરક્ષા સરંજામ પણ ગોઠવવામાં આવ્યો છે.
કમિશનરે બહાર પાડ્યુ જાહેરનામું
અમિત શાહના આગમનને લઇને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવાયું છે કે તળાવ ફરતે લારી-ગલ્લા, કેબિનનું દબાણ ન કરવા સૂચના અપાઇ છે. જ્યારે જાહરેનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે