આસામ સહિતના પૂર્વોતરના રાજ્યોમાં નાગરિકતા બિલના વિરોધમાં છેલ્લા 5 દિવસથી ઉગ્ર દેખાવો ચાલી રહ્યા છે. ત્યારે આસામ સહિત પૂર્વોતરના રાજ્યોમાં ચાલી રહેલા ઉગ્ર વિરોધની અસર મોટા આયોજન પર પણ જોવા મળી રહી છે.
આસામ સહિતના પૂર્વોતરના રાજ્યોમાં CAB નો વિરોધ
અમિત શાહનો શિલોન્ગ પ્રવાસ રદ્દ
રાજધાની દિલ્હીમાં પણ વિરોધ પ્રદર્શન
જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 15-16 ડિસેમ્બરના રોજ ગુવાહાટીમાં થનાર મુલાકાત મુલતવી રહી છે ત્યારે તાજેતરમાં પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ દેશના ગૃહ મંત્રી અમિત શાહનો શિલોન્ગ પ્રવાસ રદ્દ થયેલ છે.
રાજધાની દિલ્હીમાં પણ વિરોધ પ્રદર્શન
આ તરફ CAB ને લઇને દેશની રાજધાની દિલ્હીમાં પણ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. જામીયા યુનિવર્સીટી બહાર પણ નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે.
મેઘાલયમાં બિલને લઇને લોકોમાં રોષ
આ પહેલા મેઘાલયમાં બિલને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને કારણે મોબાઇલ ઇન્ટરનેટ અને SMS સેવાઓ 2 દિવસથી અટકાવી દેવામાં આવી છે. આ સાથે જ રાજધાની શિલોન્ગમાં પોલીસે રાજભવન નજીક વિરોધીઓ પર ટિયરગેસ છોડ્યા હતા.
જાપાનના પ્રધાનમંત્રીએ રદ્દ કર્યો ભારત પ્રવાસ
નાગરિકતા સંશોધન બિલ (CAB) વિરુધ્ધ કરવામાં આવી રહેલા વિરોધ-પ્રદર્શન વચ્ચે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેનો ભારત પ્રવાસ રદ્દ થયો છે. જાપાનના પીએમ ગુવાહાટીમાં 15-17 ડિસેમ્બરે ભારત-જાપાન શિખર સંમેલનમાં ભાગ લેવાના હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શિંજો આબે વચ્ચે ગુવાહાટીમાં સમિટ યોજાવાની છે. પરંતુ ગુવાહાટીમાં જ સૌથી વધારે હિંસક વિરોધ-પ્રદર્શન થઇ રહ્યું છે. વિરોધ-પ્રદર્શન બાદ ગુવાહાટીમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.
આસામમાં ચાલી રહેલા હિંસક વિરોધ-પ્રદર્શનને લઇને ગુવાહાટી યોજનારી ભારત-જાપાન સમિટને લઇને જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેનો પ્રવાસ રદ્દ થાય તેવી શક્યતા છે. આ કાર્યક્રમ 16 ડિસેમ્બરના રોજ ગુવાહાટીમાં યોજવાનો છે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રીનો પ્રવાસ રદ્દ
રાજ્યસભામાં બુધવારે પસાર કરવામાં આવેલ નાગરિકતા સંશોધન બિલના વિરુદ્ધ આસામ અને ત્રિપુરામાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનને જોતા બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને પોતાનો ભારત પ્રવાસ રદ્દ કર્યો છે. રાજદ્વારી સૂત્રોએ આ જાણકારી આપી. વિદેશ મંત્રાલય દ્વારા પહેલા જારી સૂચના અનુસાર મોમેનને ગુરુવારે સાંજે પાંચ વાગ્યાને 20 મિનિટ પર અહીં પહોંચવાના હતા.