અમિત શાહ ઉપર નિશાન સાધતા કોંગ્રેસે કહ્યું હતું કે તેઓ 1200 કિમી દૂર હૈદરાબાદ ચૂંટણી પ્રચાર માટે જઈ શકે છે; 15 કિમી દૂર ખેડૂતોને મળવા નથી જઈ શકતા?
ખેડૂતોએ દિલ્હીની સરહદે પ્રદર્શન કરવા એકઠા થયા છે
નોંધનીય છે કે વિવિધ રાજ્યોથી ખેડૂતોએ દિલ્હીની સરહદે પ્રદર્શન કરવા માટે ધામા નાખ્યા છે. આ ઉપરાંત તેમણે PM મોદીના આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા ન આપવાના વલણની ટીકા કરી હતી.
શું કહ્યું કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ?
"PM મોદીની જીદ, PM મોદીનો અહંકાર, PM મોદીનું જક્કી વલણ તેમણે આજે મન કી બાત કાર્યક્રમમાં સ્પષ્ટ કરી દીધું જયારે તેમણે 62 કરોડ ખેડૂતોને અસર કરતા 3 ખેડૂત વિરોધી, કૃષિ વિરોધી અને ગેરબંધારણીય કાયદાઓને સમર્થન આપ્યું. જયારે લાખો ખેડૂતો દિલ્હીની બહાર ધરણા કરી રહ્યા છે ત્યારે PMનું આ નિવેદન દર્શાવે છે કે સરકારને સત્તાઓ નશો ચડી ગયો છે અને તેઓને કોઈની પરવા નથી."
"જો દેશના ગૃહમંત્રીને 1200 કિમીનો પ્રવાસ કરીને હૈદરાબાદમાં જાહેર સભા કરવાનો સમય છે તો તેમની પાસે 15 કિમી દૂર દિલ્હીની સરહદે ઉમટેલા ખેડૂતો સાથે વાતચીત કરવાનો સમય કેમ નથી? શું કામ કૃષિ મંત્રીએ 3 ડિસેમ્બરની તારીખ આપી છે અને વહેલા ચર્ચા કરવાની હા નથી પાડી? શું તેમણે આ દિવસ માટે કોઈ જ્યોતિષને બોલાવ્યો છે? આ દિવસનું કોઈ મુર્હત બેસાડ્યું છે?"