બંગાળમાં ચૂંટણીને લઈને ભાજપની રણનીતિની મુલાકાત માટે અમિત શાહ આજે 2 દિવસના પ્રવાસે આવવાના હતા જે દિલ્હીના હુમલા બાદ રદ્દ થયો છે. આ સમયે સ્મૃતિ ઈરાની આજે હાવડામાં રેલી કરશે અને શાહ વર્ચ્યુઅલી રેલીમાં જોડાશે.
બંગાળમાં રાજકારણ ગરમાયું
સ્મૃતિ ઈરાનીની આજે હાવડામાં રેલી
અમિત શાહ વર્ચ્યુઅલી રેલીમાં જોડાશે
પશ્ચિમ બંગાળમાં વિધાન સભાની ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું છે. ભાજપે મમતાના ગઢને જીતવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ રેલી અને જનસભાઓ શરૂ કરી છે અને તેને વધારી પણ છે. આ સંદર્ભે આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બંગાળમાં રેલી કરશે.
અમિત શાહનો 2 દિવસીય પ્રવાસ થયો રદ્દ
બંગાળની ચૂંટણીને લઈને અમિત શાહ 2 દિવસના પ્રવાસે આવવાના હતા પરંતુ દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસ પરના હૂમલા બાદ તેઓએ પ્રવાસ રદ્દ કર્યો છે. તેમની જગ્યાએ સ્મૃતિ ઈરાની 2 દિવસનો કાર્યક્રમ કરશે અને આજે તેઓ હાવડામાં થનારી જનસભાની રેલીમાં સામેલ થશે. ભલે અમિત શાહે પ્રવાસ રદ્દ કર્યો હોય પણ તેઓ દુમુર્જલામાં વર્ચ્યુઅલી રેલીમાં સામેલ થશે. આ રેલી આજે બપોરે 12 વાગે યોજાશે.
આવો હતો અમિત શાહનો કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ.બંગાળમાં 30 જાન્યુઆરીએ 2 દિવસના પ્રવાસે આવવાના હતા. અહીં અમિત શાહ ઈસ્કોન મંદિર મયૂરપૂર જઈને પછી ઠાકુરબારી મેદાનમાં રેલી સંબોધવાના હતા. તેમની સોશ્યલ મિડીયાની ટીમ સાથે બેઠક પણ હતી. આ પછી તેઓ સોશ્યલ મિડિયા વોલેન્ટિયર્સને કોલકત્તાના સાયન્સ સીટિ ઓડિટોરિયમમાં સંબોધન કરવાના હતા. 31 જાન્યુઆરીના કાર્યક્રમમાં શાહ સવારે 11 વાગે શ્રી અરવિંદો ભવન પહોંચવાના હતા. એક કલાક અહીં રોકાયા બાદ તેઓ ભારત સેવા આશ્રમ સંઘના કાર્યાલય જવાના હતા. અહીં 1 વાગે હાવડાના દુમુર્જલામાં આયોજિત રેલીને સંબોધિત કરીને બાગડી પરિવાર સાથે ભોજન, બેલુર મઠ, રામકૃષ્ણ મઠનું ભ્રમણ પણ કાર્યક્રમનો ભાગ હતું.
રેલીના 1 દિવસ પહેલા મમતાને ઝટકો
રેલીના 1 દિવસ પહેલાં મમતાને મોટો ઝટકો લાગ્યો, શનિવારે ટીએમસીના પૂર્વ નેતા રાજીવ બેનર્જી, ધારાસભ્ય બૈશાલી ડાલમિયા, પ્રબીર ઘોષાલ, રુદ્રનીલ ઘોષ અને રથિન ચક્રવર્તીએ અમિત શાહના નિવાસે તેમની સાથે મુલાકાત કરી. આ પછી તેઓ ભાજપમાં સામેલ થયા. શાહે કહ્યું કે મને વિશ્વાસ છે કે આ બદા મળીને સોનાર બાંગ્લાને માટે ભાજપની લડાઈ મજબૂત કરશે.