લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થવા પર અમેરિકાના એક આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF) એ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને લઇને નિવેદન જાહેર કર્યું છે. જેમા તેમના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. આ મુદ્દા પર હવે ભારતના વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે.
અમેરિકી સંસ્થાના નિવેદન પર વિદેશ મંત્રાલયની ટિપ્પણી
અમેરિકી સંસ્થાએ કરી હતી અમિત શાહ પર પ્રતિબંધની માંગ
USCIRFનો જે પ્રકારે રેકોર્ડ છે, તેમની પાસે આવી જ અપેક્ષા હતી : વિદેશ મંત્રાલય
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, આ સંસ્થાનો જે ટ્રેક રેકોર્ડ રહ્યો છે, તેનાથી તેઓને કોઇ આશ્ચર્ય નથી થયું. છતાં તેઓ USCIRFના આ નિવેદનની ટીકા કરે છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, USCIRFની તરફથી જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે, તેનાથી આશ્ચર્ય નથી થતું કેમકે તેઓનો રેકોર્ડ જ એવો છે. જોકે, એ ટીકાને પાત્ર છે કે સંસ્થાએ જમીની હકીકતની ઓછી જાણકારી હોવા છતા આ પ્રકારનું નિવેદન આપ્યું છે.
#MEA on @USCIRF stand on #CAB
"The position articulated by USCIRF is not surprising given its past record. It is, however, regrettable that the body has chosen to be guided only by its prejudices and biases on a matter on which it clearly has little knowledge & no locus standi" pic.twitter.com/4LMXCQg6UY
રવીશ કુમારે કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ કોઇપણ પ્રકારે ભારતમાં રહેતા લોકોને પ્રભાવિત નથી કરતું. સંસ્થાએ પોતાના નિવેદનમાં જે ભલામણ કરી છે, તે કોઇપણ પ્રકારે યોગ્ય નથી. દરેક દેશને પોતાની પોલિસી હેઠળ કાનૂન બનાવવાનો અધિકાર છે, જેમાંથી અમેરિકા પણ સામેલ છે.
નોંધનીય છે કે, લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થયા બાદ અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF) એ બંને ગૃહમાં બિલ પાસ થવા પર ગૃહ મંત્રી અમિત શાહની વિરુદ્ધ અમેરિકાને પ્રતિબંધ લગાવવાની માંગ કરી દીધી છે. જોકે, આ માંગ પર અમેરિકી સરકાર દ્વારા કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી. સંસ્થા તરફથી CAB, NRCની ટીકા કરવામાં આવી છે અને તેને ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ એક્શનથી જોડવામાં આવ્યું છે.