અમદાવાદઃ 2019માં ગુજરાતની 26 લોકસભા બેઠક જીતવા માટે ભાજપની ચિંતન બેઠક ચાલી રહી છે કે જેનો આજે બીજો દિવસ છે. ગત મોડી રાત્રે જ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવવા માટે રવાના થઇ ગયાં હતાં.
મહત્વનું છે કે અમિત શાહ અમદાવાદમાં આવી પહોંચ્યાં છે. અમદાવાદનાં પૂર્વ મેયર ગૌતમ શાહ આજે અમિત શાહનાં નિવાસ સ્થાને પણ પહોંચ્યાં હતાં. જ્યાં પૂર્વ મેયર ગૌતમ શાહે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી તેમજ આ દરમ્યાન ભાજપનાં પૂર્વ ધારાસભ્ય માયાબેન કોડનાની અને ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
ત્યારે હવે માયાબેન કોડનાની ફરી એક વખત ભાજપમાં સક્રિય થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. મહત્વનું છે કે હાલ આ ચિંતન બેઠકમાં 10 મુદ્દાઓ પર વિશેષ રીતે ખાસ ભાર મુકવામાં આવેલ છે. આ બેઠકમાં મુખ્યત્વે સંગઠનને મજબૂત કરવું સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ રાખવો લોકસંપર્ક અને વિપક્ષ ઉપર પ્રહારની રણનીતિ નક્કી કરવામાં આવશે. જેમાં પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનાં માર્ગદર્શનની ભૂમિકા મહત્વની રહેશે.
ઉલ્લેખનીય છે કે 2019માં ગુજરાતની 26 લોકસભા બેઠક જીતવા માટે ભાજપે રણનીતિ બનાવવાની કામગીરીનો આરંભ કરી દીધો છે. જેથી 2 દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ રણનીતિની શરૂઆત ભાજપની ચિંતન બેઠકથી કરવામાં આવી છે. જો કે હાલ આ ચિંતન બેઠકમાં 10 મુદ્દાઓ પર ખાસ વિશેષ રૂપે ભાર મુકવામાં આવ્યો છે.
આ બેઠકમાં મુખ્યત્વે સંગઠનને મજબૂત કરવું સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ રાખવો લોકસંપર્ક અને વિપક્ષ ઉપર પ્રહારની રણનીતિ નક્કી કરવામાં આવશે. જેમાં પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનાં માર્ગદર્શનની ભૂમિકા સૌથી અગત્યની રહેશે. આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને લોકો સુધી પહોંચવા માટે ઝડપી સેવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.