પ્રશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે જીભની લડાઇ વધારે તેજ બની ગઇ છે. જાધવપુરમાં અમિત શાહની રેલી રદ્દ કર્યા પછી ભાજપે મમતા બેનર્જી પર વાર કરવાનું શરૂ કરી દીધુ છે. બીજી તરફ, શાહે બંગાળમાં આજે મમતા દીદી પર વાકબાણ ચલાવ્યા છે.
શાહે જૉયનગર લોકસભા બેઠક પર રેલી દરમિયાન જય શ્રીરામના નારા લાગાવ્યા અને ચેતવણી આપવાના અંદાજમાં કહ્યું, તેઓ કોલકાતા આવી રહ્યા છે, મમતા દીદી હિંમત હોય તો મારી ધરપકડ કરીને બતાવો.
#WATCH BJP President Amit Shah in Joynagar, West Bengal: Mamata didi, I am chanting Jai Shri Ram here & leaving for Kolkata, arrest me if you have guts. pic.twitter.com/gw7yg8bHHU
અમિત શાહના મંચ પર આવતા જ જય શ્રીરામના નારા લગાવ્યા અને લોકોએ પણ સાથ આપ્યો. અમિત શાહે કહ્યું- “હું જય શ્રીરામ બોલી રહ્યો છું અને અહીંથી કોલકાતા જઈ રહ્યો છું. મમતા દીદી તમારામાં હિંમત હોય તો અરેસ્ટ કરી લેજો.”
અમિત શાહે કહ્યું- કે તેમની પશ્ચિમ બંગાળમાં ત્રણ રેલીઓ હતી. તેમાં જાધવપુરમાં રેલી માટે આવવાનું હતું. શાહે કહ્યું- “જાધવપુર બેઠક મમતા બેનર્જીના ભત્રીજાની બેઠક છે માટે તેમણે મને રેલીની મંજૂરી ના આપી. બોલાવા દો કે ના બોલવા દો, બંગાળની જનતા નક્કી કરી ચૂકી છે કે લોકસભા ચૂંટણીમાં ટીએમસીને હરાવવાની છે.”
आज मुझे 3 जगह जाना था, जयनगर में तो आ गया मगर दूसरी जगह ममता दीदी के भतीजे की सीट थी।
वहां पर हमारे जाने से ममता जी डरती हैं कि भाजपा वाले इकट्ठे होंगे तो भतीजे का तख़्त उल्टा हो जाएगा इसलिए उन्होंने हमारी सभा की परमिशन कैंसिल कर दी: श्री अमित शाह #DeshModiKeSaathpic.twitter.com/VXsPtzRzn2
ભાજપ અધ્યક્ષ મમતા બેનર્જી અને તેમનો ભત્રીજા પર વાર કરીને તેમણે કહ્યું કે મમતા બેનર્જીએ પોતાના ભત્રીજાની સાથે મળીને સિન્ડિકેટ બનાવી છે. લોકો પાસે વગર કારણે ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ કે, મમતા “ભત્રીજો ટેક્સ” લઈ રહ્યા છે.
ममता दीदी कहती हैं कि बंगाल में जय श्रीराम नहीं बोल सकते। मैं इस मंच से जय श्रीराम बोल रहा हूं और यहां से कोलकाता जाने वाला हूं। ममता दीदी हिम्मत हो तो गिरफ्तार कर लेना: श्री अमित शाह #DeshModiKeSaathpic.twitter.com/IuczhMfO3X
અમિત શાહે કહ્યુ, દુર્ગા પૂજા પ્રશ્ચિમ બંગાળની ઓળખ છે. મમતા બેનર્જીએ દુર્ગા પૂજા કરવા પર રોક લગાવી દીધી છે. સરસ્વતી પૂજા કરે તો મમતા ગુંડા મારામારી કરે છે. શ્રીરામ નથી બોલી શકતા, કારણ કે મમતા દીદીને ઘૂસણખોરોના મત જોઈએ છે.” આ દરમિયાન તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપને 23 લોકસભા બેઠક મળી તો ફરીથી અહીં શાન સાથે દુર્ગા પૂજા થશે કારણ કે ભાજપ અહીં આવો માહોલ આપશે.