કેન્દ્રીય ગૃહમંત્રી તથા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બુધવારે વિપક્ષી પાર્ટી ખાસ કરીને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પર કલમ 370 હટાવાનો વિરોધ કરવાનો આરોપ લગાવ્યો હતો.
યુપીમાં પ્રચાર કરી રહ્યા છે અમિત શાહ
અખિલેશ યાદવ પર કર્યા આકરાં પ્રહારો
સપા અને બસપાને હટાવવા માટે મતદારોને ચેતવ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી તથા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બુધવારે વિપક્ષી પાર્ટી ખાસ કરીને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પર કલમ 370 હટાવાનો વિરોધ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, યાદવે કહ્યું હતું કે, લોહીની નદીઓ વહેશે. શાહે કહ્યું કે, પણ કોઈનામાં એક કાંકરો પણ મારવાની હિમ્મત થઈ નહીં. અલીગઢના અતરૌલી વિધાનસભામાં પૂર્વ મુખ્યમંત્રી દિવંગત કલ્યાણ સિંહના પૌત્ર, યુપી સરકારના મંત્રી તથા ભાજપ ઉમેદવાર સંદીપ સિંહના સમર્થનમાં આયોજન કરવામાં આવેલી જાહેર સભામાં સંબોધન કરતા શાહે આ વાત કહી હતી.
कश्मीर भारत का अभिन्न अंग है। हम धारा 370 हटाना चाहते थे और सपा, बसपा, कांग्रेस विरोध करती थी। जब मैं धारा 370 हटाने का बिल लेकर गया तो ये अखिलेश बाबू कहते थे कि खून की नदियां बहेंगी। अरे! अखिलेश बाबू खून की नदियां तो छोड़ो किसी की कंकड़ मारने की हिम्मत भी नहीं हुई: गृह मंत्री pic.twitter.com/dWhWsJEdH4
પોતાના સંબોધનમાં શાહે કહ્યું કે, આપે ફરી વાર નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવ્યા તો, કાશ્મીરમાંથી કલમ 370ને હટાવી દીધી. આ વિપક્ષી પાર્ટીઓ વિરોધ કરતી હતી. અખિલેશ વિરોધ કરતા હતા. અખિલેશ ની અતરૌલીમાં આવવાની હિમ્મત નથી થતી. તેમણે મારી સામે કહ્યું હતું કે, લોહીની નદીઓ વહેશે. નરેન્દ્ર મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. ભાજપના પૂર્વ અધ્યક્ષે સપા, બસપા અને કોંગ્રેસ પર આકરાં પ્રહારો કરતા કહ્યું કે, આ લોકો પારદર્શક રીતે શાસન કરવા દેતા નથી. ભ્રષ્ટાચાર મુક્ત શાસન જોવા નથી માગતા, ભ્રષ્ટાચાર મુક્ત શાસન ફક્તને ફક્ત મોદી સરકાર જ આપી શકે છે.
સપા અને બસપાની જાતિવાદી સરકારોને નકારી
અમિત શાહે કહ્યું કે, 2014, 2017 અને 2019ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશનનું નસીબ બદલવાની ચૂંટણી રહી અને સપા તથા બસપાની જાતિવાદી સરકારો ક્યારે પણ રાજ્યનું ભલુ ઈચ્છતી નથી. શાહે મતદારોને ચેતવતા કહ્યું કે, જો રાજ્યમાં માફિયાઓનું રાજ આવી જશે, પ્રધાનમંત્રી મોદી અલીગઢમાં જે ડિફેંસ કોરિડોર લઈને આવ્યા છે, જેમાં કરોડોનું રોકાણ થવાનું છે, ત્યાં કોઈ રોકાણ કરી શકશે નહીં. અહીં ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં દશ ફેબ્રુઆરીએ અતરૌલીમાં મતદાન થવાનનું છે અને આ વિસ્તારમાં કેટલીય વાર કલ્યાણ સિંહ પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.