હૈદરાબાદમાં 1 ડિસેમ્બરે થનારા સીવિક ઈલેક્શનને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે હૈદરાબાદ પહોંચી ગયા છે. અમિત શાહે દિવસની શરુઆત ભાગ્યનગર મંદિરના દર્શનથી કરશે. જે ચારમીનારને અડીને આવેલું છે. ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બંદી સંજય કુમારે પહેલા જ એલાન કરી દીધું છે કે સીવિક ઈલેક્શનમાં પાર્ટીની જીતની વિજય યાત્રા અહીંથી જ શરુ થશે.
અમિત શાહ સૌથી પહેલા ભાગ્યનગર મંદિર જશે
કોર્પોરેશનની 150 સીટો માટે 1 ડિસેમ્બરે વોટ નાંખવામાં આવશે
ગત ચૂંટણીમાં ભાજપને માત્ર 4 સીટો મળી હતી
અમિત શાહ સૌથી પહેલા ભાગ્યનગર મંદિર જશે
ઉલ્લેખનીય છે કે હૈદરાબાદ પહોંચી ચૂકેલા ગૃહમંત્રી અમિત શાહ સૌથી પહેલા ભાગ્યનગર મંદિર જશે. આ બાદ પહ સનત નગર, ખૈરતાબાદ અને જુબલી હિલ્સમાં રોડ શો કરશે. અમિત શાહે રોડ શો પહેલા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ હૈદરાબાદમાં પાર્ટીના નેતાઓની મુલાકાત કરી અને ચૂંટણીની તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતુ. આ બાદ નડ્ડાએ પણ રોડ શો કર્યો હતો.
કોર્પોરેશનની 150 સીટો માટે 1 ડિસેમ્બરે વોટ નાંખવામાં આવશે
ઉલ્લેખનીય છે કે ગ્રેટર હૈદરાબાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનની 150 સીટો માટે 1 ડિસેમ્બરે વોટ નાંખવામાં આવશે. ગત ચૂંટણીમાં ભાજપને માત્ર 4 સીટો મળી હતી. જ્યારે અસદુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIMને 44 સીટો પર જીત મળી હતી. ગત ચૂંટણીમાં TRSએ 99 સીટો જીતી નિગમ પર કબ્જો જમાવ્યો હતો. જ્યારે કોંગ્રેસે 2 અને તેલુગુ દેશમ પાર્ટીને 1 સીટ પર જીત મળી હતી.
ભાગ્યનગર મંદિર શું પાકિસ્તાનમાં છે
ભાગ્યનગર મંદિરથી વિજય યાત્રા કાઢવા પર સંજય કુમારે કહ્યું કે ઘણા બધા લોકો મને પુછે છે કે આખરે ભાગ્યનગર મંદિરને તેમણે કેમ પસંદ કર્યું. હું એ લોકોને પુછુ છુ કે ભાગ્યનગર મંદિર શું પાકિસ્તાનમાં છે. તેમણે કહ્યું કે લોકો કહે છે કે આનાથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધશે. શું તમે કહી રહ્યા છો કે આ મંદિર પાકિસ્તાનમાં છે. જો તેઓ હા કહે ચે તો અમે ત્યાના અયોગ્ય રુપે રહેનારા રોહિંગ્યા, પાકિસ્તાની અને અફઘાનિયોની વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક કરીશું. જેના વોટો પર TRS અને AIMIM નિર્ભર છે.