યુપીમાં પ્રથમ તબક્કાના મતદાન પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં શરૂ થઈ રહ્યું છે. આ વિસ્તાર જાટ સમુદાયની સારી એવી પકડ છે,જેને મનાવવા માટે અમિત શાહ ખુદ આગળ આવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં સામાજિત સમીકરણોને જોતા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પશ્ચિમી ઉત્તર પ્રદેશના 200થી વધારે મુખ્ય જાટ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન શાહે જાટ નેતાઓને ભગવા પાર્ટીનું સમર્થન કરવા અપીલ કરતા કહ્યું કે, બંને મળીને એક દુશ્મન સાથે લડ્યા હતા. જાટ સમુદાયનું પ્રતિક પાઘડી પહેરતા શાહે જાટ સમુદાયને પાર્ટીના સાથેના જૂના સંબંધોને સ્પષ્ટ કરતા કહ્યું કે, મને હંમેશા પૂછવામાં આવે છે કે, અમે તો ફક્ત 50 વર્ષ જૂની પાર્ટી છીએ, તો પછી આપણે સાથે મળીને 650 વર્ષોથી કેવી રીતે લડી રહ્યા છીએ. હું કહું છે કે, આપ મુગલો સાથે લડ્યા, અમે પણ તેની સાથે લડ્યા. આ આપણો સંબંધ છે.
જયંત ચૌધરીને લઈને અફસસો વ્યક્ત કર્યો
શાહે જાટ સમુદાયની નારાજગી દૂર કરવાની કોશિશ તો કરી, સાથે જ રાલોદ નેતા જયંત ચૌધરી પ્રત્યે નરમ વલણ અપનાવતા કહ્યું કે, અમે પણ તેમને ચાહીએ છીએ, પણ તેમને ખોટું ઘર પસંદ કરી લીધું છે. હવે પછી તેમની સાથે વાત કરી લેજો.
યુપીમાં ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં છે. આ સામાજિક સમીકરણોમાં જાટ સમુદાય અહીં મહત્વની ભૂમિકામાં છે.શાહે આ સમુદાયને પોતાની તરફ વાળવા માટે દિલ્હીમાં ભાજપના સાંસદ પ્રવેશ વર્માના નિવાસ સાથે તેમની સાથે મુલાકાત કરી હતી. બે કલાક સુધી ચાલેલી આ મુલાકાતની જવાબદારી કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન સંભાળી રહ્યા હતાં. 2017માં બહુ ડરાવ્યા, ધમકાવ્યા અને તતડાવ્યા, તેમની જગ્યાએ કોઈ અન્ય હોત તો રડવા લાગ્યા હોત. પણ તમે કહ્યું અમે વોટ આપીશું અને પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવી આપી. વર્ષ 2019માં પણ આવું કર્યું. તમે હંમેશા અમારી જોળી મતોથી ભરી છે.
જાટ સમુદાયને મનાવવા માટે અમિત શાહ આગળ આવ્યા
ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં આ વખતે સપા અધ્યક્ષ અખિલેશ યાદવે રાલોદ નેતા જયંત ચૌધરી સાથે હાથ મિલાવ્યો છે. તેનાથી જાટ સમુદાયનું સમર્થન આ વખતે તેમની સાથે પણ જઈ શકે છે. આ ઉપરાંત ખેડૂતોનો ગુસ્સો અને જાટ અનામત પણ ભાજપ માટે મોટો માથોનો દુ:ખાવો બનેલો છે. ત્યારે આવા સમયે આ પડકારને પાર પાડવા માટે 2017ના પ્રદર્શને ફરી વખતે રિપિટ કરવા માટે ગૃહમંત્રી અમિત શાહ ખુદ ચૂંટણી મેદાનમાં કૂદી પડ્યા છે. તેમને પુરો વિશ્વાસ છે કે, ફરી એક વાર ભાજપને જાટ સમુદાય પુરતો સહયોગ કરશે.
જાટ સમુદાયને અપાવ્યો વિશ્વાસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પશ્ચિમી ઉત્તર પ્રદેશના 200થી વધારે જાટ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રાજા મહેન્દ્ર પ્રતાપનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમનું સન્માન અમે કર્યું છે. મોદીજી અને યોગીએ કર્યું છે. તેમણે કહ્યું કે, ચૌધરી ચરણ સિંહ બાદ સૌથી મોટા જાટ મંત્રી જાટ સમાજમાંથી ભાજપે આપ્યા છે. ત્રણ રાજ્યપાલ, કેટલાય સાંસદો-ધારાસભ્યો ભાજપે જાટ સમુદાયને આપ્યા છે. અમિત શાહે વિશ્વાસ અપાવ્યો છે કે, આપે જે કામ બતાવ્યા છે તે મેં લખ્યા તો નથી, પણ તેને પુરા કરવા માટે સૌને સાથે ચાલવાનું છે, તેમણે કહ્યું કે, ભાજપ પર જાટ સમુદાયનો અધિકાર છે.
અમને તમારી પાસે મોટી આશા છે
શાહે કહ્યું કે, જ્યારે પણ અમે આપની પાસે આવ્યા અમારી જોળીમાં મતોથી આપે ભરી દીધી છે. ઘણી વાર અમે આપની વાત નથી માની, તેમ છતાં પણ તમે અમને વોટ આપ્યા. ગૃહમંત્રીએ એ વાત પર ભાર આપ્યો તે, ખુદ મારી પોતાની રાષ્ટ્રીય રાજકારણને મેં યુપીમાંથી શરૂ કર્યું હતું અને જે પણ ત્રણ ચૂંટણી લડ્યા. તેમાં જાટનું પુરતું સમર્થન મળતું રહ્યું. શાહે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, જાટ સમુદાય હંમેશા ખુદ પોતાની જગ્યાએ દેશને આગળ રાખે છે.
રામમંદિરનો મુદ્દો ફરી આગળ ધર્યો
આ તમામની સાથે જાટ સમુદાયની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રામમંદિર અને કાશી કોરિડોરનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, 600 વર્ષથી રામમંદિરની લડાઈ લડી રહ્યા હતાં. પણ મોદી સરકારે મંદિર નિર્માણ શરૂ કરાવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, 2017માં વિધાનસભા ચૂંટણી દરમિયાન અમિત શાહે આવી જ બેઠક કરી હતી. ત્યારે પણ જાટ સમુદાય પર ખાસ ફોકસ કર્યું હતું. ત્યારે ભાજપે 143માંથી 108 સીટો જીતી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના પક્ષમાં જાટ સમુદાયે વોટ આપ્યા હતા. અને 29 સીટોમાંથી 21 સીટો પર જીત મેળવી હતી.