દેશભરમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે એક તરફ એનડીએનું ગઠબંધન તૂટી રહ્યું છે અને એક બાદ એક હાર બાદ હવે ભાજપ પોતાના સહયોગીઓને પરત લાવવા પ્રયત્ન કરશે.
ભજપના પ્રતિનિધિઓ સૌથી પહેલા નારાજ થયેલ શિવસેનાને મનાવવાની કોશિશ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને ભાજપના અધ્યક્ષ અમિત શાહ મળશે. અમિત શાહ માતૃશ્રી જઈને ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે.
કોંગ્રેસની ગઠબંધનની નીતિને લઈને ભાજપ પણ સાથી પક્ષોને મનાવવામાં પડી છે. ચંદ્રબાબુ નાયડુ શિવસેના ભાજપથી દૂર છે. 2014માં ભાજપની સરકારમાં શિવસેનાને મંત્રી પદને લઈને મનદૂખ થયું હતું અને બાદમાં વિવાદ વધુ વકર્યો હતો.
મળતી માહિતી અમિત શાહ સાથેની બેઠકમાં 2019 લોકસભાની બેઠકમાં કઈ રણનીતિથી આગઈ વધવું તે અંગે ચર્ચા કરશે. શિવસેના અને ભાજપ ભૂતકાળમાં રાજ્યના પાલઘર વિધાનસભામાં એકબીજા સામે લડી હતી.