પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ત્યારે ભાજપને ત્રણ રાજ્યોમાં મોટો ઝટકો લાગ્યો છે. જે અંતર્ગત આજે દિલ્હી ખાતે ભાજપની સંસદીય દળની બેઠક યોજાશે. આ ક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પાર્ટી પદાધિકારીઓ રાજ્ય પ્રભારીઓ અને સંગઠન મંત્રીઓની સાથે રાષ્ટ્રવ્યાપી બૂથ યોજના પર સાત કલાકની સમીક્ષા કરશે.
આ બેઠકમાં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો પર સમીક્ષા કરાશે. એટલું જ નહીં હવે આગામી વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે આગામી ચૂંટણીને લઈને ભાજપની આ બેઠકમાં રણનીતિ પણ ઘડવામાં આવશે.
ખાસ કરીને મોટી સંખ્યામાં નારાજ અને ગુસ્સે ભરાયેલા લોકો નોટાનો વિકલ્પ પસંદ કરે છે ખેડૂત વર્ગની વચ્ચે વધતી નારાજગી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની રાજકીય કક્ષામાં અચાનક વધારો પણ વ્યૂહરચના તૈયાર કરશે.
નોંધનીય છે કે ખાસકરીને પાર્ટીશાસિત રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આશરે 13 લાખ મતદાતાઓએ નોટાનો વિકલ્પના રૂપમાં અજમાયો. એમાંથી મોટાભાગે ભાજપના સમર્થક મતદાતા હતા. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે જો નોટાનો ઉપયોગ ઓછો થતો તો નિશ્વિત રૂપથી માત્ર મધ્યપ્રદેશની સરકાર બચત પરંતુ રાજસ્થાન અને છત્તીસગઢમાં મધ્યપ્રદેશની જેમ જ ટક્કર થાત.