કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે, અષાઢી બીજના દિવસે સવારે મંગળા આરતીમાં પણ હાજરી આપશે અમિત શાહ, મધ્યપ્રદેશના પૂર્વ રાજ્યપાલ આનંદીબેન પણ ગુજરાતમાં
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા
3 દિવસ અમદાવાદ રોકાશે અમિત શાહ
રથયાત્રાના દિવસે મંગળા આરતીમાં હાજરી આપશે
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે. એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા ભાજપના નેતાઓ પણ પહોંચ્યા હતા. અમિત શાહ 3 દિવસ અમદાવાદના પ્રવાસે છે. તો ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે પણ જશે. રથયાત્રાના દિવસે મંગળા આરતીમાં અમિત શાહ હાજરી આપશે. મહત્વનું છે કે, ઘણા વર્ષોથી અમિત શાહ રથયાત્રાના સમયમાં અમદાવાદમાં હોય છે. અને ભગવાન જગન્નાથના દર્શન માટે જતા હોય છે. આ વર્ષે પણ લોકો વગર રથયાત્રા કાઢવાની મંજૂરી અપાઈ છે. જેને લઈ સુરક્ષાની પુરતી વ્યવસ્થા ગોઠવાઈ છે. તો બીજી તરફ અમિત શાહ ભગવાનના દર્શન માટે પહોંચે એ પહેલા તેમની સિક્યુરીટી દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરાયું હતું.
અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
12 જૂલાઇએ પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં અમિત શાહ દર્શન કરશે. અમિત શાહ વહેલી સવારે પરિવાર સાથે મંગળા આરતી કરશે. અમિત શાહ 11 જૂલાઇએ બોપલ અને વેજલપુરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અને સાબરમતી વિસ્તારના નવા વાડજ ખાતે બનેલા પંપીગ સ્ટેશન ખુલ્લો મુકશે. સાથે જ સાણંદ APCMમાં બનેવ નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે.
અમિત શાહ અને આનંદી બેન પટેલ ગુજરાતમાં
તો બીજી તરફ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ગુજરાતમાં છે. મહત્વનું છે કે, મધ્યપ્રદેશના નવા રાજ્યપાલ તરીકે ગુજરાતના આદિવાસી નેતા મંગુભાઈ પટેલને જવાબદારી મળી છે. અને આનંદીબેન પટેલે તેમને રાજ્યપાલની જવાબદારી સોંપી ચૂક્યા છે. જે બાદ આજથી આનંદી બેન પટેલ ગુજરાત આવ્યા છે. અને બીજી તરફ અમિત શાહ પણ ગુજરાતમાં છે.