કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યોનું લોકાર્પણ કરતાં સંબોધન કર્યું. ગૃહમંત્રી અમિત શાહે AMCના મિશન મિલિયન ટ્રી અભિયાનનું સમાપન કરાવ્યુ છે. અમિત શાહે સંબોધન કરતાં જણાવ્યું હતું કે 10 લાખ વૃક્ષોનું વાવેતર પૂર્ણ કરાયું છે.
અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ દેશ સામે લક્ષ્ય મૂક્યું. જેમાં ગ્લોબલ વોર્મિંગ માટે ભારતની પહેલ છે. દુનિયાને રસ્તો ચીંધવાનું કામ દેશ કરે. ઇલેક્ટ્રિક બસો દેશમાં અન્ય જગ્યાએ પણ ચાલુ છે. જેમાં સંપૂર્ણ ભારતીય ઇલેક્ટ્રિક બસ શરૂ થઇ છે.
જેને લઇને પેટ્રોલ પંપ માફ બેટરી મળતી થશે. અમિત શાહે સંબોધન કરતાં જણાવ્યું કે મારા મત વિસ્તારમાંથી વૃક્ષારોપણ માટે પત્ર લખ્યો. જેમાં 3 હજાર જેટલી સોસાયટીઓને વૃક્ષો માટે પત્ર લખ્યો. અમદાવાદ જિલ્લામાં 24.60 લાખ વૃક્ષોનું વાવેતર થયું.
ઓઝોન પડમાં ઠેર-ઠેર ગાબડાં પડ્યાં છે. અમિત શાહે રાજ્યમાં થયેલા સારા વરસાદને લઇને જણાવ્યું કે સારા વરસાદના કારણે તમામ તળાવો ભરાયા છે. નર્મદા યોજનામાં ત્રણ પેઢીનો સંઘર્ષ હવે દૂર થશે. નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ દરવાજાની મંજૂરી મળી.
અમદાવાદનું વસ્ત્રાપુર તળાવ ફરી ભરાયું છે. જળસંચય દુનિયભરમાં મોટુ કદમ બનશે. પીએમ મોદીએ કરેલા પ્લાસ્ટિક મુક્તને લઇને અમિત શાહે કહ્યું કે પીએમ મોદીએ પ્લાસ્ટિકથી મુક્ત ભારતની કલ્પના કરી. જેને લઇને પ્લાસ્ટિકને રી-યૂઝ કરવાની કલ્પના કરી. ગાંધીજીના મૂલ્યો આજે હયાત છે. જેમાં સત્ય અને અહિંસા આજે પણ પ્રાસંગિક છે.
ગૃહમંત્રી અમિત શાહે AMCના મિશન મિલિયન ટ્રી અભિયાનનું સમાપન કરાવ્યુ છે. વર્ગીસ ટાવર પાસે 108 વડના વૃક્ષો વાવીને અભિયાનનું સમાપન કરાવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઈલેક્ટ્રિક બસની શરૂઆત કરાવી છે.
અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણીએ ઈલેક્ટ્રિક બસોનું લોકોર્પણ કર્યું. લોકાર્પણ થતાં શહેરમાં 18 ઈલેક્ટ્રિક બસો દોડશે. આગામી બે મહિનામાં વધુ 32 બસો પણ દોડશે. અમિત શાહે ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી રવાના કરાવી હતી.