અક્ષય કુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' આ શુક્રવારે થિયેટરોમાં રીલીઝ થઇ રહી છે. આ ફિલ્મથી મિસ વર્લ્ડ રહેલી માનુષી છિલ્લર બોલીવુડમાંથી ડેબ્યુ કરી રહી છે. ઐતિહાસિક કહાનીને દર્શાવતી ફિલ્મને લઇને પહેલાથી બુલંદ અવાજ ઉઠી રહ્યો છે. તો હવે ગૃહ મંત્રી અમિત શાહે પણ ફિલ્મના વખાણ કરી તેના સ્ટારકાસ્ટનો નિર્ણય વધાર્યો છે.
ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' શુક્રવારે થિયેટરોમાં થશે રીલીઝ
ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં પરિવાર સાથે ફિલ્મ જોઇ
ફિલ્મના કર્યા વખાણ, એક અદ્રીતિય યોદ્ધાની કહાની
ગૃહ પ્રધાનને પસંદ આવી ફિલ્મ
1 જૂન એટલેકે બુધવારે દિલ્હીના ચાણક્ય થિયેટરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ માટે 'સમ્રાટ પૃથ્વીરાજ'ની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. ગૃહ મંત્રી પરિવાર સાથે અક્ષય કુમારની ફિલ્મ જોવા પહોંચ્યા હતા. ફિલ્મ જોયા બાદ ગૃહ પ્રધાન અમિત શાહે ફિલ્મના વખાણ પણ કર્યા. ફિલ્મ પર વાત કરતા ગૃહ પ્રધાન કહે છે કે 'સમ્રાટ પૃથ્વીરાજ' એક અદ્રીતિય યોદ્ધાની કહાની છે, જેણે આપણી માતૃભૂમિ માટે બહાદૂરીપૂર્વક લડાઈ લડી. પરંતુ આ આપણી સંસ્કૃતિની મહાનતાને પણ દર્શાવે છે.
#WATCH This film depicts Indian culture of respecting women & empowering women. A cultural awakening started in India in 2014, and it will again take India to the heights it was once at : Union Home Minister Amit Shah at a special screening of the film Samrat Prithviraj in Delhi pic.twitter.com/TmKZZDHYoa
ફિલ્મની કહાની પર આગળ વાત કરતા તેમણે કહ્યું કે હકીકતમાં ફિલ્મની કહાની ભારતીય સંસ્કૃતિ અને મહિલા સશક્તિકરણને સારી રીતે દર્શાવે છે. આ સિવાય તેમણે ફિલ્મની આખી ટીમને સારા કામ માટે શુભેચ્છા પણ આપી. ગૃહ મંત્રીએ ફિલ્મના વખાણ કર્યા બાદ 'સમ્રાટ પૃથ્વીરાજ'ના મુખ્ય અભિનેતા અક્ષય કુમારે એક થેન્ક્યુ ટ્વિટ પણ કર્યુ છે. અક્ષય કુમાર લખે છે કે મારા માટે ઈમોશનલ અને ગૌરવપૂર્ણ સાંજ હતી. ગૃહ પ્રધાન અમિત શાહે અમારી ફિલ્મ જોઇ. તેમના ફિલ્મ માટેના વખાણથી અમારી મહેનત સફળ થઇ છે. અક્ષય કુમારે ગૃહ પ્રધાનનો આભાર પણ માન્યો છે.