કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. આજે અમિત શાહ અને ખેરાલુ પેટાચૂટણીને લઈને ચર્ચા કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાત મુલાકાતે આવી પહોચ્યા હતા. બુધવારે મોડી રાતે અમદાવાદના સરદાર પટેલ આંતર રાષ્ટ્રીય હવાઇ મથકે આવી પહોંચેલા દેશના ગૃહમંત્રી અમિત શાહનું મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કેબિનેટ મંત્રીઓએ કર્યું હતું. ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. જમ્મુ કશ્મીરમાંથી 370ની કલમ હટાવ્યા બાદ પ્રથમ વખત ગુજરાત આવી રહેલા ગૃહ પ્રધાનને આવકારવા પ્રદેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. આજે અમિત શાહ અને ખેરાલુ પેટાચૂટણીને લઈને ચર્ચા કરશે. જેના અંતર્ગત તેઓ ખેરાલુના પૂર્વ ધારાસભ્ય સાથે મુલાકાત કરશે. પૂર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈની અમિત શાહ સાથે મુલાકાત છેલ્લા અડધા કલાકથી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ભરતસિંહ ડાભી સાંસદ બની જતાં ખેરાલુની સીટ ખાલી પડી છે. ખેરાલુ સીટની ટિકીટ વહેંચણી અને જ્ઞાતિ સમીકરણોને લઈને આ બેઠક અમિત શાહ યોજી રહ્યા છે. પૂર્વ MLA તેજશ્રી બેન પટેલ, માયાબેન કોડનાની પણ અમિત શાહના ઘરે પહોંચી ચૂક્યા છે.
ગૃહમંત્રી અમિતશાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે.. આ દરમિયાન તેમણે ગુજરાતના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો સાથે મુલાકાત કરી. વહેલી સવારે ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્ય અમિત શાહના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. આ ઉપરાંત દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના, નરોડાના પૂર્વ ધારાસભ્ય માયાબેન કોડનાની, વિરમગામના પૂર્વ તેજશ્રી બેન, ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન અને અમિત શાહ વચ્ચે બેઠક યોજાઈ. અન્ય તરફ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ અમિત શાહના ઘરે પહોંચ્યા છે.
ગાંધીનગર ખાતે ગૃહમંત્રી અમિત શાહ ગુરૂવારે બેઠક કરશે. ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે તેઓ બેઠક કરશે. ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનિટરીંગ કમિટીની બેઠક યોજાશે. જિલ્લા કલેકટર સહિત સબંધિત અધિકારીઓ આ બેઠકમાં હાજર રહેશે. ગાંધીનગરના સાંસદ તરીકે અમિત શાહ આ કમિટીના ચેરમેન છે. તેઓ જિલ્લાના વિકાસ કાર્યો અને યોજનાઓની સમીક્ષા કરશે. તેમજ વિકાસ યોજનાઓના ભાવી આયોજન અંગે પણ ચર્ચા કરશે.