આ એપિસોડમાં શોના કન્ટેસ્ટન્ટ્સે કિશોર કુમારના 100 ગીત ગાઇને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દર્શકોને આ એપિસોડ પસંદ ન આવ્યો અને ખુબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં અમિત કુમારે કહ્યું કે મને આ શોમાં મજા પણ નહોતી આવી અને કન્ટેસ્ટન્ટની પ્રશંસા કરવાના પૈસા પણ મળ્યા હતા.
ટાઇમ્સ ઓફ ઇન્ડીયા સાથેની વાતચીતમાં અમિત કુમારે જણાવ્યું કે, હું જાણુ છુ કે લોકો એપિસોડને ખરાબ કહી રહ્યા છે અને અલગ અલગ પ્રકારની કમેન્ટ કરી રહ્યાં છે પરંતુ હું કહી દેવા માગુ છુ કે મને કન્ટેસ્ટન્ટની પ્રશંસા કરવા માટે કહેવામાં આવ્યુ હતુ, તેઓ ગમે તેવુ ગાઇ રહ્યા હોય પરંતુ તેમની પ્રશંસા કરવી અને તે એપિસોડમાં સામેલ થવા માટે પૈસા પણ આપવામાં આવ્યા હતા.
અમિતે કહી આ વાત
અમિત કહે છે કે મને જે કહેવામાં આવ્યુ હતુ મે તે જ કર્યુ છે. મને કહેવામાં આવ્યુ હતુ કે મારે બધાને પ્રેઝ કરવાના છે. જે જેવુ પણ ગાય તેમની સરાહના કરવાની છે કારણકે તે કિશોર કુમારને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મને લાગ્યુ કે પિતાને ખુશી અનુભવાશે પરંતુ તેવુ કંઇ ન થયુ. મે બસ તે જ કર્યુ જે મને કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. મે એડવાન્સમાં સ્ક્રીપ્ટ પણ માંગી હતી પરંતુ મને તે પહેલા આપવામાં નહોતી આવી.
પૈસાના કારણે પાડી હા
અમિત કહે છે કે દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે. માહરા પિતા પણ પૈસા માટે ઘણા કામ કરતા હતા. મે જેટલા પૈસા માંગ્યા તેટલા તેમણે મને આપ્યા હતા તો હું શું કામ જવા દઉં. મારા અંદર શો માટે સંપૂર્ણ રિસપેક્ટ છે. જજ અને કન્ટેસ્ટન્ટ પણ ઉમદા છે પરંતુ આ એક એવી વસ્તુ હતી જે એક વાર કરવાની હતી માટે કરી દીધી.
નેહા કક્કર,હિમેશ રેશમિયાએ કિશોર કુમારના જે ગીત ગાયા તે વાતને લઇને પણ શોને ખુબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ વાત પર પણ અમિત કુમારે કહ્યું કે મને ખ્યાલ છે, મે એપિસોડ વધારે એન્જોય નહોતો કર્યો. તમને જણાવી દઇએ કે કિશોર કુમાર ઇન્ડસ્ટ્રીના જાણીતા સિંગર છે અને તેમણે ઇન્ડસ્ટ્રીમાં મ્યૂઝિકને નવી ઓળખાણ અપાવી છે.