વડાપ્રધાન મોદીના નવા સલાહ કાર અમિત ખરે બન્યા છે. જેમણે એક સમયે દેશના સૌથી મોટા ઘાસચારા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
અમિત ખરે બન્યા PM મોદીના નવા સલાહકાર
બિહારમાં ઘાસચારા કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ
1985મી બેચના આઈએએસ ઓફિસર રહી ચુક્યા છે
Appointments Committee of the Cabinet has approved appointment of Amit Khare as Advisor to the Prime Minister, Prime Minister's Office, in the rank and scale of Secretary to Govt of India, on contract basis, initially for two years or until further orders, whichever is earlier. pic.twitter.com/5vbWRyG9Cn
બિહારમાં અત્યાર સુધીનૌ સૌથી મોટા ઘાસચારા કૌભાંડનો જેણે પર્દાફાશ કર્યો હતો. તેવા આઈએએસ અમિત ખરે વડાપ્રધાન મોદીના નવા સલાહકાર તરીકે નીમવામાં આવ્યા છે. આજે 12 ઓક્ટોબરના રોજથી તેમને પીએમ મોદીના નવા સલહકાર તરીકે નીમવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે અમિત ખરે પૂર્વ ઉચ્ચ શિક્ષા સચિવ અને પૂર્વ માનવ સંસાધન તેમજ સૂચના પ્રસારણના પણ સચિવ રહી ચુક્યા છે.
દિલ્હીથી ગ્રેજ્યુએસન પુરુ કર્યું
ગત 30 સપ્ટેમ્બરના રોજ તેઓ ઉત્ત શિક્ષા સચિવના પદ પરથી ઉતર્યા હતા. તેઓ બિહારના ચિત્ર ગુપ્તવંશી કાયસ્થ પરિવારમાં જન્મયા છે. કોલેજનો અભ્યાસ તેમણે દિલ્હીની સેંટ સ્ટીફન્સ કોલેજથી પૂરો કર્યો છે. તેઓ 1985ની બેંચના આઈએએસ ઓફિસર પણ રહી ચુક્યા છે.
950 કરોડના કૌભાંડનો કર્યો પર્દાફાશ
બિહારનું ઘાસચારા કૌભાંડ અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ મનાવમાં આવે છે. જેમા પશુઓને ઘાસ ખવડાવવાના નામે 950 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તે સમયે બિહારના મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવ તેમજ પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા પર પણ આરોપ લાગ્યા હતા. જોકે આ કૌભાંડનો પર્દાફાશ 1996માં થયો હતો. પરંતુ તપાસમાં ધીમે ધીમે બધાના નામ સામે આવ્યા હતા.
આવડતને કારણે બન્યા PMના સલાહકાર
આપને જણાવી દઈએ કે ઘાસચારા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આઈએએસ અમિત ખરેએ મહત્વની ભૂમિકા ભજવી હતી.અને હાલ તેઓ PM મોદીના સલાહકાર તરીકે નીમવામાં આવ્યા છે. તેમને હાલ જે પણઁ પદ મળ્યું છે તેમની આવડતને કારણે મળ્યું છે.