આણંદના આમરોલ ગામે દલિતને મંદિરમાં પર પ્રતિબંધનો મામલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, કાયદાકીય રીતે આ બાબતનું નિરાકરણ લાવવું જોઈએ. ગાંધીજીના વિચારો લોકોમાં જીવંત કરવાની જરૂર છે. ગાંધી વ્યક્તિ નહીં પણ વિચાર છે. ગાંધી અતીત નહીં ભવિષ્ય છે. આવી સમસ્યા માત્ર કાયદાથી નહીં લોકોની સમજથી દૂર થાય છે.