વિધાનસભામાં વિપક્ષી નેતા અમિત ચાવડાએ "ગોંડલ ગુંડાનું ગામ" એવું કહેવાતા ભાજપ દ્વારા પૂતળા દહન કરાયું હતું. તેમના આ નિવેદન બાદ ગોંડલમાં વિરોધ કરાયો હતો.
અમિત ચાવડાના પૂતળાનું દહન
ભાજપના આગેવાનો દ્વારા પૂતળા દહન
કોલેજ ખાતે પૂતળા દહન કરાયું
વિધાનસભામાં બે દિવસ પહેલા વિપક્ષી નેતા અમિત ચાવડાએ ગોંડલની ઓળખ ગુંડાના ગામ તરીકે પ્રચલિત છે તેવું નિવેદન આપતા તેના ઘેરા પ્રત્યાઘાતો ગોંડલ પંથકમાં પડ્યા હતા ભાજપી આગેવાનો દ્વારા કોલેજો ખાતે અમિત ચાવડાનું પૂતળા દહન કરાયું હતું.
ભાજપના આગેવાનો દ્વારા કોલેજ ખાતે અમિત ચાવડાના પુતળાનું દહન
ગોંડલમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. બે દિવસ પહેલા અમિત ચાવડાએ ગોંડલને ગુંડાનું ગામ કહ્યું હતું. જેને લઇને તેના ગેરા પ્રત્યાઘાતો પડ્યા છે. અને ભાજપના આગેવાનો દ્વારા કોલેજ ખાતે અમિત ચાવડાના પુતળાનું દહન કર્યું હતું.
T-20 મેચોના તાયફાઓ બંધ કરવાના આદેશ પહેલાં આપવા જોઈતા હતા
વિધાનસભામાં આજે કોંગ્રેસ આક્રમક મૂડમાં હતું. કોરોના સંક્રમણ અંગે અમિત ચાવડાએ ગૃહમાં સત્તાપક્ષ પર વાર કરતાં કહ્યુ કે એક વર્ષ પહેલાં નમસ્તે ટ્રમ્પના નામે કોરોના ફેલાયો. હવે T-20 ના નામે કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું છે. T-20 મેચોના તાયફાઓ બંધ કરવાના આદેશ પહેલાં આપવા જોઈતા હતા. મુખ્યમંત્રી આદેશના બદલે આભારના ટ્વીટ કરી રહ્યા છે.
સરકાર પોલીસનો ઉપયોગ કરતી હોવાનો ચાવડા દ્વારા આક્ષેપ
પોલીસની કામગીરીને લઈને અમિત ચાવડા દ્વારા ગૃહમાં પ્રહાર કરવામાં આવ્યા હતા. ચાવડાએ જણાવ્યું હતુ કે રાજ્યના મુખ્યમંત્રીએ ગૃહ વિભાગને સૌથી ભ્રષ્ટ માન્યુ હતું. તથા પોલીસમાં બે પ્રકારના અધિકારીઓ કામ કરે છે એક કાયદાકીય રીતે કામ કરનાર અધિકારીઓ તથા બીજા કમલમથી પગાર થતો હોય તે રીતે કામ કરતા અધિકારીઓ.. આ સાથે જ ચાવડાએ ગૃહમાંથી પોલીસ અધિકારીઓને ચેતવ્યા હતા કે સમય બદલાતા કોઈ આકાઓ મદદે નહીં આવે તથા નવા અંગ્રેજોના શાસનમાં અવાજ દબાવવા માટે સરકાર પોલીસનો ઉપયોગ કરતી હોવાનો ચાવડા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
અંતરિયાળ જિલ્લાની શું સ્થિતિ
રાજ્યમાં આરોગ્યની સ્થિતિ અંગે ગૃહમાં ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા હતા. અમિત ચાવડાએ ખેડા અને આણંદ જિલ્લાની આરોગ્યની સ્થિતિ અંગે ગૃહમાં ચિતાર મુક્યો. ચાવડાએ કહ્યું કે બન્ને જિલ્લામાં 70 ટકાથી વધુ તબીબો હાજર નથી થયા. તો અંતરિયાળ જિલ્લાની શું સ્થિતિ હશે. આણંદમાં નીતિન પટેલે સરકારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું તે હજી કાર્યરત નથી થઈ.
કોંગ્રેસના ધારાસભ્યોએ શબ્દો રેકોર્ડ પર રાખવા અપીલ કરી
આ નિવેદન સાંભળી નીતિન પટેલે વિરોધ કર્યો હતો. નીતિન પટેલે વળતો જવાબ આપતા કહ્યું કે મેં આણંદમાં કોઈ હોસ્પિટલનું ખાતમુહૂર્ત નથી કર્યું. ચાવડા અને તેમના દાદાએ ગપ્પા મારી ગેરમાર્ગે દોર્યા. આ નિવેદન બાદ ગૃહમાં હોબાળો મચી ગયો. કોંગ્રેસના ધારાસભ્યોએ શબ્દો રેકોર્ડ પર રાખવા અપીલ કરી. જે મામલે અધ્યક્ષે જવાબ આપ્યો કે મારી ફરજમાં આવે એ હું કરીશ.
અમિત ચાવડાએ મારી માફી માગવી જોઈએ
તેવામાં પરેશ ધાનાણીએ કહ્યું કે નીતિન પટેલે માફી માગવી જોઈએ. આજે તમારો સમય છે, કાયરેક અમારો સમય પણ આવશે. જે મામલે નીતિન પટેલે કહ્યું કે ખોટી રીતે વર્ણન કરવાની જરૂર નથી. મેં વ્યક્તિગત કે કોઈની પેઢી વિષે નથી બોલ્યો. અમિત ચાવડાએ મારી માફી માગવી જોઈએ.
ધાનણીએ કહ્યું કે ગુંડાઓ ગલીમાં રખડે છે
વિધાનસભા ગૃહ વિભાગની માગણીઓ પર ચર્ચા કરવામાં આવી. જેમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સરકારને આડેહાથ લીધી હતી. ધાનણીએ કહ્યું કે ગુંડાઓ ગલીમાં રખડે છે, સામાન્ય વ્યક્તિ ભયથી થડથડતા હોય છે. રાયોટિંગના 4043 આરોપીની ધડપકડ કરવાની બાકી છે. LRDની પરીક્ષામાં કૌભાંડ થયા છે...પોલીસ કર્મચારીને પુરતો પગાર મળતો નથી.
ગુજરાતનો ક્રાઈમ રેટ વધતો જાય છે
પોલીસે ઘરમાં ટીવી-ફ્રીજ ખરીદવી હોય તો મંજૂરી લેવી પડે છે. ગુજરાતનો ક્રાઈમ રેટ વધતો જાય છે. ભુમાફિયા, મિલકત માફિયા, ડ્રગ્સ માફિયા બેફામ બન્યા છે સંવિધાનની સોગંધ ખાનાર પોલીસને ભાજપે ગુલામ બનાવી દીધી છે. SRP વેઇટિંગ લિસ્ટની નિમણૂંક કરવા માંગ કરવામાં આવી છે. સાથે જ કહ્યું કે ગરીબોની 2 લાખ સાઇકલ પોલીસ સ્ટેશનમાં ધૂળ ખાય છે. ગુંડા પકડવા નિકળતી હોય તેમ પોલીસ વેપારીને હેરાન કરે છે.
ચૂંટણી સમયે 10 હજાર લોકોને ખોટી રીતે પોલીસ પકડ્યા
પ્રતિક ઉપવાસ કરવા હોય તો મંજૂરીનું બંધન નડે છે. કોરોના મહામારીમાં ભાજપના નેતાઓ લોકો વચ્ચે આવ્યા નહીં. ચૂંટણી સમયે 10 હજાર લોકોને ખોટી રીતે પોલીસ પકડ્યા. ખોટી અરજીઓ કરી કોંગ્રેસના નેતાઓને પકડવામાં આવ્યા. 75 દિવસમાં સમસ્યાઓનું નિરાકરણ કરો. જો સમસ્યા પૂર્ણ નહીં થાય તો સવિનય કાનુન ભંગ કરીશું. અમારા બાપ દાદાઓએ જેલ ભોગવી છે. તમારા બાપ દાદાઓએ અંગ્રેજોની દલાલી કરી છે.