અર્ણબ ગોસ્વામી વિરૂધ્ધ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ફરિયાદ નોંધાવી છે. પોતાની ચેનલ પર ડિબેટમાં અર્ણબ ગોસ્વામીએ પાલઘરમાં થયેલા સાધુઓના મોત માટે સોનિયા ગાંધી પર ટીપ્પણી કરી હતી જેને લઈને તેના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નોંધાવી ફરિયાદ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર ટિપ્પણીને કરી FIR
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં નોંધાઇ છે ફરિયાદ
અર્ણબ ગોસ્વામી સામે અમદાવાદમાં ફરિયાદ નોંધવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર ટિપ્પણીને કારણે આ FIR કરવામાં આવી છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ફરિયાદ નોંધાઇ છે.
સંતોના મોત મામલે રમખાણ
પાલઘરમાં સંતોના થયેલા મોતની ડિબેટમાં અર્ણબ ગોસ્વામીએ સોનિયા ગાંધી વિરૂદ્ધ ટીપ્પણી કરી હતી જે મામલે હવે ગુજરાતમાંથી પણ અર્નબ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
અર્ણબ ગોસ્વામી પર હૂમલો
મોડી રાત્રે મુંબઈમાં રિપબ્લિક ટીવીના અર્ણબ ગોસ્વામી અને તેમના પત્ની પર હુમલો થયો છે. સ્ટુડિયો થી ઘરે જતા રસ્તામાં તેમની ગાડી પર અમુક કોંગ્રેસી કાર્યકર્તા બાઇક સવારોએ હુમલો કર્યોનો આરોપ મુક્યો છે. અર્ણબ પોતાના પર થયેલ હુમલા માટે જાહેરમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને વાદ્રા પરિવાર પર આરોપ લગાવ્યો છે.
#UPDATE 2 people arrested in connection with the attack on Arnab Goswami & his wife. FIR registered by NM Joshi Marg Police station under sec 341 (Punishment for wrongful restraint) and 504 (Intentional insult with intent to provoke breach of the peace) of IPC: DCP Zone 3 #Mumbaihttps://t.co/zBarBKk4m6