અમિત ચાવડાએ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખી જણાવ્યું કે, કોંગ્રેસના MLAને પોલીસ દ્વારા હેરાનગતી કરવામાં આવે છે.
કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પત્ર લખ્યો
વિધાનસભા અધ્યક્ષને પત્ર લખ્યો
પોલીસ દ્વારા હેરાનગતી મુદ્દે પત્ર લખ્યો
કોંગ્રેસ ધારાસભ્ય અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોને પોલીસ દ્વારા હેરાનગતી મુદ્દે પત્ર લખવામાં આવ્યો છે. અમિત ચાવડાએ કહ્યું કે, અડધી રાતે પોલીસ કાફલો ધારાસભ્ય નિવાસસ્થાને આવે છે. 11 તારીખે 25 જેટલા સાદા ડ્રેસમાં પોલીસ આવ્યા હતા. અમિત ચાવડાએ એ પણ કહ્યું કે, રૂત્વિક મકવાણાને ધમકાવીને પોલીસ ગાડીમાં લઈ ગયા હતા.
11 અને 12 માર્ચના દિવસે થઈ હતી બબાલ
મહત્વનું છે કે, 12 માર્ચના દિવસે ગાંધી દાંડી યાત્રાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ સાબરમતી ખાતે પ્રધાનમંત્રીની હાજરીમાં આઝાદીનો અમૃત મહોત્સવનું આયોજન કરાયું હતું. જેને લઈ કોંગ્રેસની દાંડી યાત્રાને મંજૂરી અપાઈ નહોતી. તો બીજી તરફ અમિત ચાવડાના નિવાસ સ્થાન બહાર પોલીસ પહોંચી હતી. જેને લઈ અમિત ચાવડા ગુસ્સે થયા હતા. ત્યારે તેણે પોલીસ વિરુદ્ધ વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવવાની વાત કરી હતી.
અમિત ચાવડાએ ઘર બહાર નીકળવા જતા પોલીસ સાથે જીભાજોડી થઇ હતી. તેમજ MLA ક્વાર્ટરનો દરવાજો પોલીસે બંધ કરતા અમિત ચાવડા આક્રમક થયા હતાં. આ મામલે અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે વિધાનસભામાં વિડીયો સાથે કાલે કોંગ્રેસ રજૂઆત કરશે.
કોંગ્રેસના નેતા લાલજી દેસાઇની અટકાયત
કોંગ્રેસના નેતા લાલજી દેસાઇની તેમના ઘરની બહારથી જ અટકાયત કરવામાં આવી હતી. દાંડી યાત્રા માટે ઘરેથી નીકળતા જ અટકાયત કરાઈ હતી. પોલીસે દાંડી યાત્રાની મંજૂરી આપી નહોતી.