બોલિવૂડ એક્ટર આમિર ખાન તેની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા રિલીઝ થયા પહેલા એક મોટો નિર્ણય લીધો છે. ડિજિટલ યુગમાં જ્યારે દર પંદર મિનિટે આપણે ફોન ચેક કરીએ છીએ ત્યારે આમિર ખાન કરશે આવું કામ.
ક્રિસમસ પર રિલીઝ થશે લાલ સિંહ ચડ્ઢા
આમિર તેનાં પરફેક્શનિસ્ટને લીધે જાણીતો
3-ઈડિયટ્સ બાદ ફરી દેખાશે આમિર, કરિના અને મોના
આમિર ફિલ્મનાં કેરેક્ટર પ્રમાણે પોતાને ઢાળે છે
આમિર ખાન તેનાં કામને લઈ કેટલો પર્ફેક્શનિસ્ટ છે તે બધા જાણે છે. આમિર તેનાં કામમાં નાનામાં નાની બારિકાઈ પર ધ્યાન આપે છે. તે પોતાને તેની ફિલ્મનાં કેરેક્ટર પ્રમાણે ઢાળી દે છે. હવે આમિર તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા માટે પણ કંઈક એવું જ કરવા જઈ રહ્યો છે.
મોબાઈલ ફોન સતત અડચણો લાવે છે
આમિર ખાનનું માનવુ છે કે, મોબાઈલ ફોન સતત તેમના કામમાં અડચણો લાવ્યા કરે છે. જેથી તે નથી ઈચ્છતા કે લાલ સિંહ ચડ્ઢા ફિલ્મનાં કામમાં તેનો ફોન અડચણ બને. માટે આમિર ખાને નક્કી કર્યું છે કે તે હવે જ્યાં સુધી લાલ સિંહ ચડ્ઢા ફિલ્મ રિલીઝ નહીં થાય ત્યાં સુધી તેનો ફોન યૂઝ નહીં કરે.
આમિર, કરિના અને મોના ફરી એકવાર ઓનસ્ક્રીન પર દેખાશે
લાલ સિંહ ચડ્ઢા ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થશે અને તેમાં ફરી એક વાર આમિર અને કરિનાની જોડી જોવા મળશે. સાથે સાથે મોના સિંહ પણ લાલ સિંહ ચડ્ઢામાં મહત્ત્વનું કેરેક્ટર ભજવતી જોવા મળશે. આ ત્રણેયને છેલ્લે 3-ઈડિયટ્સમાં સાથે જોયા હતા.