નેચરલ એગ્રિકલ્ચર કોન્ફરન્સને સંબોધતા પીએમ મોદીએ માતા કાલી પર એક મોટું નિવેદન આપ્યું હતું.
કાલી વિવાદની વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન
કહ્યું કે માતા કાળીનો દેશ પર આશીર્વાદ
માતા કાલી સમગ્ર ભારતની ભક્તિનું કેન્દ્ર
મમતાની પાર્ટીના સાંસદે માતા કાલી પર આપ્યું હતું વિવાદીત નિવેદન
પીએમ મોદીના નિવેદનને કાલી વિવાદ સાથે જોડીને જોવાઈ રહ્યું છે
દેશભરમાં કાલી ફિલ્મ પર વિવાદ વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે, માતા કાલીના આશીર્વાદ હંમેશા દેશ પર રહેશે. માતા કાલી સમગ્ર ભારતની ભક્તિનું કેન્દ્ર છે. પીએમ મોદી રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'નેચરલ એગ્રિકલ્ચર કોન્ફરન્સ'ને સંબોધન કર્યું હતું.
રામકૃષ્ણ-સ્વામી વિવેકાનંદનું આપ્યું ઉદાહરણ
પીએમ મોદીએ કહ્યું કે બંગાળમાં કાલી પૂજામાં માતાની ચેતના દેખાય છે. આ ચેતના પણ બંગાળ પર દેખાય છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે રામકૃષ્ણ પરમહંસ એક એવા સંત હતા જેમણે માતા કાલીનો સ્પસ્ટ સાક્ષાત્કાર કર્યો હતો.તેમણે માતા કાલીના ચરણોમાં પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું. તેઓ કહેતા કે આ સંપૂર્ણ જગત, ચર-અચર, બધું માતાની ચેતનાથી વ્યાપ્ત છે અને આવી ચેતના બંગાળની કાલી પૂજામાં દેખાય છે. આ ચેતના આખા ભારતમાં દેખાય છે. પીએમ મોદીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદને પણ માતા કાલીનો અનુભવ થયો હતો. તેને કારણે સ્વામી વિવેકાનંદમાં અસાધારણ ઊર્જાનો સંચાર થયો હતો.
મમતાની પાર્ટીના સાંસદે માતા કાલી પર આપ્યું હતું વિવાદીત નિવેદન
ફિલ્મ કાલીના પોસ્ટર બાદ માતા કાલી પર નિવેદનબાજીના વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે દેવીના દેશ પર આશીર્વાદ છે. માતા કાલીની ચેતના સમગ્ર ભારતની આસ્થામાં છે. મોદીના આ નિવેદનને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે પણ જોડવામાં આવી રહ્યું છે, કારણ કે તેમની પાર્ટી ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાએ માતા કાલી વિશે વિવાદિત નિવેદનો આપ્યા હતા. મોઇત્રા સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે અને ભાજપે ટીએમસી પાસેથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.
'Surat model' of natural farming can become model for entire country: PM Modi
ગુજરાતના સુરતમાં યોજાઈ રહેલા વર્ચ્યુઅલ સેશનમાં પીએમ મોદીએ કહ્યું કે, થોડા મહિના પહેલા ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની થીમ પર નેશનલ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં દેશભરના ખેડૂતો સામેલ થયા હતા. સાથે જ આજે ફરી એકવાર સુરતની આ મહત્વની ઘટના એ વાતનું પ્રતીક છે કે ગુજરાત કેવી રીતે દેશના અમૃત સંકલ્પોને ગતિ આપી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, આઝાદીના 75 વર્ષ માટે દેશે ઘણા એવા લક્ષ્યો પર કામ કરવાનું શરૂ કર્યું છે જે આવનારા સમયમાં મોટા ફેરફારોનો આધાર બનશે. અમૃત કાળમાં દેશની પ્રગતિનો આધાર એ દરેકના પ્રયત્નોની ભાવના છે જે આપણી વિકાસ યાત્રાને આગળ ધપાવી રહી છે." કૃષિ પ્રણાલીને જીવનનો આધાર ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે, "આપણું જીવન, આપણું સ્વાસ્થ્ય, આપણો સમાજ દરેકના પાયામાં આપણી કૃષિ વ્યવસ્થા છે. ભારત પ્રકૃતિ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. તેથી, જેમ જેમ આપણો ખેડૂત આગળ વધતો જાય છે, તેમ તેમ આપણી કૃષિ પ્રગતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધે છે, તેમ તેમ આપણો દેશ પણ આગળ વધશે.
ખેડૂતોને સહાય પૂરી પડાઈ રહી છે- પીએમ મોદી
કુદરતી ખેતી માટે ખેડૂતો પર ભાર મૂકતા પીએમ મોદીએ જણાવ્યું કે કુદરતી ખેતી કરવાથી જમીનની ઉત્પાદકતાની રક્ષા થાય છે અને આમ કરવું એ ધરતી માતાની સેવા કરવા જેવું છે. "જો તમે કુદરતી ખેતી કરો છો, તો તમે પ્રકૃતિ અને પર્યાવરણની સેવા કરો છો. પ્રાકૃતિક ખેતીમાં જોડાશો તો તમને ગૌમાતાની સેવા કરવાનો લહાવો પણ મળે છે. પરંપરાગત કૃષિ વિકાસ યોજના મારફતે ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
30 હજાર ક્લસ્ટર બનાવવામાં આવ્યાં, લાખો ખેડૂતોને લાભ
પીએમ મોદીએ કહ્યું કે અત્યારે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અને ભારતીય કૃષિ વ્યવસ્થા કાર્યક્રમો મારફતે ખેડૂતોને સંસાધનો, સુવિધાઓ અને સહાય પ્રદાન કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ દેશમાં 30 હજાર ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે. લાખો ખેડૂતોને આનો લાભ મળી રહ્યો છે." તેમણે ડિજિટલ ઇન્ડિયા મિશનની સફળતા પર આધુનિક સમયની સાથે ખેડૂતોને પરિવર્તન લાવવાની અપીલ કરતા કહ્યું કે, "અમારા ગામોએ દર્શાવ્યું છે કે ગામડાઓ માત્ર પરિવર્તન જ લાવી શકતા નથી, પરંતુ પરિવર્તનનું નેતૃત્વ પણ કરી શકે છે.