કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયર્મેન્ટ એન્ડ વોટર અને ઈનીશીએટિવ ફોર સસ્ટેનેબલ એનર્જી પોલિસી ની તરફથી 21 રાજ્યોના 152 જિલ્લાઓના 15000 જેટલા ઘરોમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેના પ્રમાણે ગ્રાહક અધિકારોને લઈને લોકોમાં જાગૃતિ ન હોવાને લીધે માત્ર 6 ટકા લોકોએ જ વીજકાપ અને ઇલેક્ટ્રિસિટી સંબંધિત અન્ય સમસ્યાઓને લગતી ફરિયાદ નોંધાવી હતી.
દેશની વીજળી વિતરણ વ્યવસ્થા ક્ષેત્રે છે બહુ મોટા પડકારો
બે તૃતીયાંશ ગામડાઓ અને 40% શહેરોમાં રોજ છે વીજકાપની સમસ્યા
21 રાજ્યોના 152 જીલાઓમાં હાથ ધરાયો હતો સર્વે
દેશની આઝાદીના 72 વર્ષ પછી પણ લોકોને 24 કલાક વીજળી મળી રહી નથી, ગામડાઓ અને શહેરોમ પણ સમાન પરિસ્થિતિ જ છે, નબળી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ, ડિસ્કોમ્સ ( વીજ વિતરણ કંપનીઓ ) નું નુકસાન અને વીજ ચોરી જેવા કારણો જવાબદાર હોવાનું કહેવાય છે.
Council on Energy, Environment and Water CEEW એ તેની રિપોર્ટ " સ્ટેટ ઓફ ઇલેક્ટ્રિસિટી એક્સેસ ઇન ઈન્ડિયા"માં કહ્યું હતું કે લગભગ બે તૃતીયાંશ ગામડાઓ અને 40 ટકા શહેરોમાં પણ દર રોજ દિવસમાં એક વાર વીજળી ગુલ થવાની ઘટનાઓ બને છે.
ઉત્તર પ્રદેશમાં વીજ કાપની છે સૌથી મોટી સમસ્યા
અહીં સર્વેક્ષણમાં સામેલ 76 ટકા લોકોએ સ્વીકાર્યું કે તેમના મકાનોમાં વીજળી ગુલ થવાની ઘટના રોજીંદી છે. આ મામલે ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે છે અને તે પછી, ઝારખંડ, આસામ, બિહાર અને હરિયાણાનો કર્મ આવે છે.
આ રાજ્યોમાં ઘણા સમયે વીજળી નું આવવું, લાંબા લાંબા વીજકાપ જાણે કે રોજીંદા જીવનનો એક ભાગ જ બની ગયા છે. એક તૃતીયાંશ જેટલા લોકો વીજકાપ, ઓછા વૉલ્ટેજ, બ્લેક આઉટસ, ડીમ લાઇટ વગેરે જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે પરંતુ જાગૃતિના અભાવના લીધે માત્ર 6 ટકા જેટલા લોકો જ ફરિયાદ નોંધવતા હોય છે તેવો આંકડો સામે આવ્યો છે.
આ મહત્વપૂર્ણ તથ્યો પણ સામે આવ્યા
જો આ આંકડાઓ પર નજર કરીએ તો, ભારત દુનિયામાં સૌથી વધુ વીજળી ઉત્પન્ન કરનારો ત્રીજો અને વિશ્વમાં પણ ત્રીજો સૌથી વધુ વીજળી વપરાશ કરનાર દેશ છે. લોકોને અને રાજકીય પક્ષો દ્વારા 24 કલાક સસ્તા વીજ પુરવઠાનું વચન આપવામાં આવે છે.
જો કે, સત્ય એ છે કે દેશની મોટી વસ્તી તેના જીવનના ઘણા કલાકો અંધારામાં વીતાવવા પડે છે. સર્વેમાં સામે આવ્યું છે કે UP, MP, રાજસ્થાન અને બિહારમાં લગભગ ૨.4 ટકા ઘરોમાં હજુ સુધી વીજળી પહોંચી નથી. આમાં પણ, મોટાભાગના લોકોએ કહ્યું હતું કે તેઓ ગ્રીડ કનેક્શનથી મળતી ઇલેક્ટ્રિસિટી નો ખર્ચો ઉપાડવામાં સક્ષમ નથી, અને આ વ્યવસ્થા હજુ પૂર્ણ રીતે વિશ્વસનીય નથી.
વીજળીના બિલમાં પણ ઘણી વાર બધુ બરાબર હોતું નથી
છેલ્લા ઘણાં વર્ષોથી ગ્રાહકો પાસેથી વીજબિલ ની રકમ યોગ્ય સમયે ન મળવાથી વીજળી કંપનીઓને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે. સર્વે અનુસાર 4 ટકા લોકો અનિયમિત બીલ મેળવે છે. તે જ સમયે, ગ્રીડ વાળું કનેક્શન ધરાવતા 5 ટકા લોકોએ કહ્યું હતું કે તેમણે જીવનમાં કદી વીજબિલ જોયા પણ નથી.
નિયમિત વીજ બીલ મેળવતા લોકોની બાબતમાં ઝારખંડમાં આ હિસ્સો 55 ટકા છે. આ પછી બિહારમાં આ આંકડો લગભગ 64 ટકા જેટલો છે. આસામ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં વીજબિલ અનિયમિતતાના સૌથી વધુ કેસ છે. ઇનિશિયેટિવ ફોર સસ્ટેનેબલ એનર્જી પોલિસી ISEP ની સાથે CEEW એ દેશના 21 રાજ્યોના 152 જિલ્લામાં 15,000 ઘરોનો સર્વે કર્યો હતો.