દેશમાં આજથી 18થી 44 વર્ષના લોકોનું રસીકરણ શરુ કરવામાં આવી રહ્યુ છે પણ આવી રહી છે આ સમસ્યા.
આજથી 18થી 44 વર્ષના લોકોનું રસીકરણ શરુ
રસીકરણ માટે મુખ્ય રીતે અસમર્થતા આંઘ્ર પ્રદેશ
રસીનું ઉત્પાદન વધારવા પર કામ કરી રહ્યા છીએ- કેન્દ્ર
આજથી 18થી 44 વર્ષના લોકોનું રસીકરણ શરુ
દુનિયામાં સૌથી વધારે કેસ ભારતમાં આવી રહ્યા છે. ત્યારે ભારત માટે 1 મે એટલે કે આજનો દિવસ ખુબ મહત્વનો છે. દેશમાં આજથી 18થી 44 વર્ષના લોકોનું રસીકરણ શરુ કરવામાં આવી રહ્યુ છે. સત્તાવાર રીતે 28 એપ્રિલથી કોવિન એપ પર આનું રજિસ્ટ્રેશનની શરુઆત થઈ ચૂક્યું છે. પરંતુ દેશને રસીકરણમાં હાલ મોટી સમસ્યા આવી રહી છે. કેમ કે અનેક રાજ્યોએ રસીની ઉપલબ્ધતાને લઈને અસમર્થતા વ્યક્ત કરી છે.
રસીકરણ માટે મુખ્ય રીતે અસમર્થતા આંઘ્ર પ્રદેશ
18થી ઉપરની ઉંમરના લોકોના રસીકરણ માટે મુખ્ય રીતે અસમર્થતા આંઘ્ર પ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ વ્યક્ત કરી છે. ગત ગુરુવારે તેમણે કહ્યું કે 18થી ઉપરની ઉંમરના લોકોનું રસીકરણ સપ્ટેમ્બર મહિનાથી શરુ કરી શકાશે. તેમણે કહ્યું કે રસીની અછતના કારણે પહેલીથી 45 વર્ષથી મોટાનું રસીકરણ થશે. એ બાદ 18થી ઉપરની ઉંમરના લોકો માટે 120 કરોડ રસીના ડોઝની જરુર છે. આંધ્ર પ્રદેશના એક સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે અમે રોજના લગભગ 6 લાખ લોકોને રસી આપીએ છીએ. પરંતુ તેની અછતની સીધી અસર પડી રહી છે.
રસીકરણ પર રાજ્યોની સમર્થતા
જો કે રસીકરણને લઈને મહારાષ્ટ્ર, છત્તીસગઢ સહિત અનેક રાજયોએ પોતાની સમસ્યા વ્યક્ત કરી છે. કેરળે તો નવી ગાઈડાલાઈનમાં કહ્યું છે કે તે પહેલા બીજા ડોઝવાળાના રસીકરણ પર ધ્યાન આપશે. રાજ્યોએ કેન્દ્રથી 50 લાખ રસીના ડોઝની માંગ કરી છે. આ દરમિયાન કેન્દ્ર સતત રાજ્યોની પાસે રસીનો જથ્થો હોવાની વાત કરી રહ્યું છે.
રસીનું ઉત્પાદન વધારવા પર કામ કરી રહ્યા છીએ- કેન્દ્ર
શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ છે કે 45થી ઉપરનાનું રસીકરણ 1 મે બાદથી પહેલાની જેમ ચાલુ રહેશે. રસીમાં અછત પર મંત્રાલયે કહ્યુ કે અમે રસીનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સરકાર ઉત્પાદક કંપનીઓની સાથે સતત સંપર્કમાં છે. 1 મેથી શરુ થનારુ રસીકરણ શરુઆતમાં ધીમુ હોઈ શકે છે પણ જલ્દી સ્પીડ પકડશે. જે લોકો ઉત્પાદકો પાસેથી રસી મેળવી શકે છે કે કાલથી રસીકરણ શરુ કરી શકે છે.
18-44 વર્ષના ગ્રુપ પાસે રસી પસંદ કરવાનો વિકલ્પ
કોવિન એપ ચીફ આરએસ શર્માએ કહ્યુ કે હવે 18થી 44 વર્ષના ગ્રુપ પાસે પ્રાઈવેટ સેન્ટર પર રસી પરંદ કરવાનો વિકલ્પ હાજર છે. શર્માએ એ સ્પષ્ટ કર્યુ છે કે સરકારી સેન્ટપ પર જ્યારે રસીની ઉપલબ્ધતાના હિસાબે રસીકરણ થશે. સાથએ એ વાતનું ધ્યાન રાખે કે બીજો ડોઝ પણ એજ રસીનો લે જેનો પહેલો ડોઝ લીધો હોય.